નિર્ભયાના આરોપીઓએ ફરી એક નવી યુક્તિ લગાવી છે. દોષિતોના વકીલ એપી સિંહે શુક્રવારે ફરી એકવાર પટિયાલા હાઉસ કોર્ટનો સંપર્ક કર્યો છે. આ વખતે વકીલે તિહાર જેલ પ્રશાસન પર આરોપ લગાવતા અરજી દાખલ કરી છે કે દોષિતોને ક્યૂરેટિવ અને દયાની અરજી દાખલ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપવામાં વિલંબ થાય છે.
ક્યૂરેટિવ અને દયા અરજી માટે ડોક્યૂમેન્ટ નહીં આપવાનો આરોપ
પટિયાલા હાઉસ કોર્ટમાં આજે અરજી પર થઈ શકે છે સુનાવણી
આરોપીઓના વકીલોએ જેલ પ્રશાસન પર લગાવ્યો આરોપ
દોષીઓના વકીલે અરજી પર શનિવારે સુનાવણી થવાની સંભાવના જણાવી છે. તિહાર જેલ પ્રશાસને વકીલને વોટ્સએપ અને મેઈલ પર ડોક્યુમેન્ટ્સ મોકલ્યા હતા. સાથે જ તેમના કાર્યાલય પર પણ જેલકર્મી કાગળ લઈને ગયા હતા. તે સમયે તેમનું કાર્યાલય બંધ હતું. તેઓએ વકીલ પર કેસને લટકાવવાનો આરોપ લગાવ્યો છે.
નવા ડેથ વોરંટના આધારે 1 ફેબ્રુઆરીએ અપાવવાની છે ફાંસી
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે હાલમાં જ 2 અન્ય દોષીઓ વિનય અને મુકેશની અરજી દાખલ કરી હતી. તમામ દોષીઓને પટિયાલા હાઉસ કોર્ટથી આપવામાં આવેલા નવા ડેથ વોરંટના આધારે 1 ફેબ્રુઆરીએ ફાંસી આપવામાં આવશે.
દોષીઓની પાસે ક્યૂરેટીવ અને દયા અરજીના વિકલ્પ
નિર્ભયાના એક દોષી મુકેશની ક્યૂરેટિવ અરજી સુપ્રીમ કોર્ટથી અને દયા અરજી રાષ્ટ્રપતિ પાસેથી નકારી કાઢવામાં આવી હોવાના કારણે હવે મુકેશની પાસે કોઈ કાયદાકીય વિકલ્પ નથી. અન્ય દોષી વિનયની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં નકારી દેવામાં આવી છે.વિનયની પાસે દયા અરજીનો વિકલ્પ છે. સાથે જ દોષી પવન અને અક્ષયની પાસે ક્યૂરેટિવ અને દયા અરજી બંને વિકલ્પ બાકી છે.