નિર્ભયા કેસમાં ફાંસીથી બચવા માટે નિર્ભયાના ગુનેગારો દરેક પ્રકારના હથકંડાઓ અપનાવી રહ્યાં છે. હવે દોષિત વિનય શર્માએ એક વધુ દાવપેંચ ખેલ્યો છે. તેના વકીલ એપી સિંહે ચૂંટણી પંચમાં અરજી દાખલ કરી છે.
દયાની અરજીને નામંજૂર કરવી ગેરબંધારણીય
ચૂંટણી પંચ સાથે કાયદાકીય વિચારણા કરવા માગ
આ અરજીમાં જણાવાયું છે કે જ્યારે દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને 29 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ પાસે વિનયની દયા અરજી નામંજૂર કરવા ભલામણ કરી હતી ત્યારે ન તો તેઓ મંત્રી હતા કે ન તો ધારસભ્ય.
દોષી વિનય શર્માના વકીલ એપી સિંહે કહ્યું કે સત્યેન્દ્ર જૈને 30 જાન્યુઆરીના રોજ પોતાની સહી વ્હોટસ એપ દ્વારા મોકલ્યો. અરજીમાં જણાવામાં આવ્યું કે આવા સમયે અરજી નામંજૂર કરવી ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે, કારણ કે તે સમયે દિલ્હી ચૂંટણીના કારણે આદર્શ ચૂંટણી સંહિતા ચાલી રહી હતી. અરજીમાં ચૂંટણી પંચની કાયદાકીય અવલોકન કરવાની માંગ કરવામાં આવી છે.
ગુનેગારે જાતને પહોંચાડી ઇજા
આ વચ્ચે તિહાડ જેલમાં બંધ દોષી વિનયકુમારે પોતાની જાતને ઇજા પહોંચાડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. વિનય કુમારે પોતાનું માથુ દિવાલ પર પટકાવ્યું. જેલ પ્રશાસનના જણાવ્યાં મુજબ, 16 ફેબ્રુઆરીના રોજ થયેલી આ ઘટનામાં વિનયને થોડી ઇજા પહોંચી છે.
3 માર્ચના રોજ સવારે 6 વાગે ફાંસી
ચાર દોષિઓને 3 માર્ચેના રોજ સવારે 6 વાગે ફાંસી આપવામાં આવશે. પટિયાલા હાઇકોર્ટે 17 ફેબ્રુઆરીના રોજ નવુ ડેથ વોરંટ ઇશ્યુ કરવાની કરાયેલી અરજી પર આ નિર્ણય કર્યો. આ મામલો ડિસેમ્બર 2012 ના રોજ પાટનગર 23 વર્ષીય એક મહિલા સાથે દૂષ્કર્મ અને હત્યા સાથે જોડાયેલ છે.
માતા એ કહ્યું - કોર્ટના નિર્ણયથી ખુશ
કોર્ટના હાલમાં કરાયેલા આદેશ પર પોતાનો સંતોષ વ્યક્ત કરતાં નિર્ભયાની માતાએ કહ્યું કે હું સંતૂષ્ટ અને ખુશ છું. મને આશા છે કે દોષિઓને અંતે 3 માર્ચના રોજ ફાંસી આપવામાં આવશે.