આગામી 20 માર્ચે થનારી ફાંસીથી બચવા માટે નિર્ભયાના ચારેય દોષિતોમાંથી એક મુકેશ સિંહે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી નવી ચાલ ચાલ્યો છે. નિર્ભયા સામૂહિક દુષ્કર્મ અને હત્યા મામલામાં ફાંસીની સજા પામેલા દોષિત મુકેશે પોતાના વકીલ એમએલ શર્મા દ્વારા દિલ્હીની કોર્ટમાં અરજી દાખલ કરવાનો દાવો કર્યો છે કે તે નિર્ભયાની સાથે 16 ડિસેમ્બર 2012ના દિવસે થયેલા બનાવ સમયે દિલ્હીમાં હતો જ નહીં.
નિર્ભયાના ચારેય દોષિતોમાંથી એક મુકેશ સિંહે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી નવી ચાલ ચાલ્યો
દોષિત મુકેશનો દાવો, તે નિર્ભયાની સાથે 16 ડિસેમ્બર 2012ના દિવસે ઘટના સમયે દિલ્હીમાં હતો જ નહીં
મુકેશે અરજીમાં દાવો કર્યો છે કે તેની 17 ડિસેમ્બર 2012 એ રાજસ્થાનથી ધરપકડ કરાઇ હતી. એવામાં તે ઘટના સ્થળ એટલે કે દિલ્હીના વસંત વિહારમાં હાજર નહોતો. આ સાથે જ મુકેશે તિહાડ જેલમાં હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.
હેરાન કરનારી વાત એ છે કે મુકેશે આ ચાલ આગામી 20 માર્ચે થનારી ફાંસીથી માત્ર 3 દિવસ પહેલા જ ચાલ્યો છે. ત્યારે સવાલ ઉભો થઇ રહ્યો છે કે તેણે આ અરજી આખરે કોર્ટમાં કેમ દાખલ ન કરી કે તે ઘટના સ્થળે અથવા ઘટનાના દિવસે દિલ્હીમાં હાજર નહોતો.
બીજી તરફ નિર્ભયા ગેન્ગરેપ કેસમાં ફાંસીની સજા મેળવનાર દોષિત અક્ષય ઠાકુરની પત્ની પુનીતાએ પોતાના પતિને ફાંસીથી બચાવવા માટે કાયદાકીય ચાલ ચાલી છે. પુનીતાએ એક ફેમિલી કોર્ટમાં ડિવોર્સની અરજી આપી છે. પુનીતાએ પોતાની અરજીમાં કહ્યું છે કે તે અક્ષયની વિધવા બનીને રહેવા ઇચ્છતી નથી.
અક્ષયની પત્નીએ ઔરંગાબાદની એક ફેમિલી કોર્ટમાં દાખલ પોતાની અરજીમાં કહ્યું, તેના પતિને રેપના કેસમાં દોષિત ઠેરાવાયા છે અને તેમને ફાંસી અપાશે. જોકે તેઓ નિર્દોષ છે એવામાં તેઓની વિધવા બનીને રહેવા ઇચ્છતી નથી.
અક્ષયની પત્નીના વકીલ મુકેશ કુમાર સિંહે જણાવ્યું કે મહિલાને એ કાયદાકીય અધિકાર છે કે તે હિન્દૂ વિવાહ અધિનિયમ 13 (2) (II) ની હેઠળ કેટલાક ખાસ મામલાઓમાં તલાકનો અધિકાર છે. જેમા રેપ પણ સામેલ છે. તેઓે જણાવ્યું કે જો રેપ મામલામાં કોઇ મહિલાના પતિને દોષિત ઠેરાવાય છે તો તે તલાકની અરજી દાખલ કરી શકે છે.