નિર્ભયા ગેંગરેપ અને મર્ડરના ચારેય દોષિતોને ફાંસી પર ચઢાવવાની તૈયારીઓના સમાચાર આવી રહ્યા છે. ત્યારે આ દોષિતોમાંથી એક અક્ષય કુમાર સિંહે સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી ફાંસીના નિર્ણય પર ફરી વિચાર કરવાની માંગ કરી છે.
નિર્ભયા ગેંગરેપના ચાર દોષિતોમાંથી એક અક્ષય કુમાર સિંહે SCમાં પુનર્વિચાર અરજી દાખલ કરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચારેય દોષિતોની ફાંસી રોકવાની દયા અરજીને ફગાવી દેવાની ભલામણ કરી હતી
ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામ 6માંથી 4 દોષિતોને સજા સંભળાવી હતી
આ મામલામાં ફાસ્ટ ટ્રેક કોર્ટે તમામ 6માંથી 4 દોષિતો મુકેશ, વિનય શર્મા, અક્ષય કુમાર સિંહ, અને પવન ગુપ્તાને સજા સંભળાવી હતી. આ મામલાના એક દોષિત રામસિંહે જેલમાં ફાંસી લગાવી હતી. એક દોષિત સગીર હતો. હાઇકોર્ટે અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આ ચારેય દોષિતો માટે ફાંસીની સજા યથાવતી રાખી હતી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તિહાડ જેલમાં બંધ ચારેય દોષિતોને ફાંસી પર ચઢાવવાથી રોકવા માટે રાષ્ટ્રપતિના નામે લખવામાં આવેલી દયા અરજીને ફગાવી દેવાની ભલામણ કરી ચૂક્યું છે. આ પહેલા આ અરજી દિલ્હી સરકારે ફગાવ્યા બાદ એલજી હાઉસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે પહોંચી હતી. હવે સંબંધિત કોર્ટ આ ચારેય દોષિતોને ફાંસી પર ચઢાવવાને લઇને ડેથ વોરન્ટ જાહેર કરશે.
દેશની રાજધાની દિલ્હીમાં 16 ડિસેમ્બર 2012ના દિવસે નિર્ભયાની સાથે ગેંગરેપના ભયાનક ઘટના બાદ આખો દેશ હચમચી ગયો હતો.