ભાગડુ વેપારીઓ નિરવ મોદી, વિજય માલ્યા અને મેહુલ ચોક્સીને ભારત લાવવાના સરકાર પ્રયાસ કરી રહ્યા છે. હાલ વિજય માલ્યા મામલે ભારતીય સરકારને મહદ અંશે સફળતા મળી છે. નીરવ મોદીએ મુકેલી જામીન અરજી પણ લંડનની કોર્ટે ફગાવી છે. આમ હાલ ભારત સરકાર અને એજન્સીઓ આ ભાગેડુઓને પરત લાવવા ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.
ભાગેડુ હીરાના વ્યપારી નિરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ નિરવે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ વેસ્ટમિસ્ટર કોર્ટે જામીન અરજી ફગાવી છે. કોર્ટે ગત મહિને પણ જામીન અરજી ફગાવી હતી. ભારત સરકાર એક વાત પર મક્કમ છે કે તેઓ આ તમામ ભાગેડુઓને જેલની હવા ખવડાવશે. હાલ દેશમાં ચૂંટણીના માહોલમાં ભલે આ મામલે રાજકારણ રમાતુ હોય. ભલે કોંગ્રેસ ભાજપ એકબીજા પર આરોપીઓને છાવરવાના આરોપ લગાવતા હોય.
પરંતુ હકીકત એ છે કે આપણી સરકારી એજન્સીઓ હાલ આ ભાગેડુઓ પર કહેર મચાવી રહી છે. મેહુલ ચોક્સીને ભારત લાવવા માટે પણ આપણી સરકાર ખુબ પ્રયાસ કરી રહી છે. પરંતુ તે પોતાની બીમારીના કારણ આપીને તે એન્ટીગુઆમાં બેસી રહ્યો છે. ત્યારે વિજય માલ્યા અંગે પણ મહિનામાં ચુકાદો આવી શકે છે.
ઉલ્લખેનિય છે કે, વિજય માલ્યા નીરવ મોદી અને મેહુલ ચોક્સી ભારતીય બેંકોનું ફુલેકુ કરીને ભાગી ગયા છે. જ્યારથી તેઓ ભાગી ગયા છે ત્યારથી તેમને લાવવા માટે ઈન્ટરપોલે રેડકોર્નર નોટીસ આપી હતી. તેને લઈને આ આરોપીઓની મુશ્કેલી વધી હતી.
જોકે આ તમામ લોકો ભારતના રૂપિયા લઈને કોની મદદથી ભાગ્યા તે હવે તેઓ જાતે જ બતાવી શકે છે. અધિકારીઓએ થોડા સમય પહેલા નીરવ મોદીની રોયલ ગાડીઓની હરાજી કરી હતી. આ ઉપરાંત આ ભાગેડુઓની સંપતિઓની પણ હરાજી કરાઈ રહી છે. પરંતુ સરકારના આ પ્રયાસ ખરેખર ઉમદા છે અને તેઓ આ આરોપીઓને ભારત લાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહ્યા છે.