19 માર્ચનાં રોજ હોલબોર્નથી ભાગેડું નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી અને તેનાં મામા મેહુલ ચોક્સી સામે ED અને CBI 13 હજાર કરોડ રૂપિયાનાં સ્કેમ મામલે તપાસ કરી રહી છે. આ નીરવ મોદી દ્નારા દાખલ કરવામાં આવી હતી કે જે ચોથી જામીન અરજી હતી. પંજાબ નેશનલ બેંકનાં કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડું નીરવ મોદી આ સમયે લંડનની જેલમાં બંધ છે.
લંડનની રૉયલ કોર્ટ ઓફ જસ્ટિસ (લંડન હાઇકોર્ટ)એ ભાગેડું ડાયમંડ વેપારી નીરવ મોદીને એક મોટો ઝટકો આપતા તેની જામીન અરજી ખારીજ કરી દીધી છે. સુનાવણી દરમ્યાન જજે કહ્યું કે, દેવું ચુકવણીની નીરવ મોદીની વાત પર ભરોસો ના કરી શકાય.
આ પહેલા લંડનની જ એક કોર્ટે નીરવ મોદીને 26 જૂન સુધી જેલમાં રહેવાનો ચુકાદો સંભળાવ્યો હતો. 48 વર્ષનાં બિઝનેસમેન નીરવ મોદી ભારતમાં 13,000 કરોડ રૂપિયાનાં પંજાબ નેશનલ બેંક સ્કેમ મામલે વોન્ટેડ છે.
19 માર્ચનાં રોજ હોલબોર્નથી ભાગેડું નીરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. નીરવ મોદી અને તેનાં મામા મેહુલ ચોક્સી સામે ED અને CBI 13 હજાર કરોડ રૂપિયાનાં સ્કેમ મામલે તપાસ કરી રહી છે. આ નીરવ મોદી દ્નારા દાખલ કરવામાં આવી હતી કે જે ચોથી જામીન અરજી હતી. પંજાબ નેશનલ બેંકનાં કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર ભાગેડું નીરવ મોદી આ સમયે લંડનની જેલમાં બંધ છે.
તમને જણાવી દઇએ કે આ પહેલા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ નીરવ મોદીની ત્રીજી જામીન અરજીઓને પહેલેથી જ ખારીજ કરી ચૂકેલ છે. આ કોર્ટમાં તેને ભારત પ્રત્યર્પિત કરવા મામલાની સુનાવણી ચાલી રહી છે. તે આર્થિક દગાબાજીનાં મામલાનો સામનો કરી રહ્યો છે.