ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના પ્રત્યાર્પણને લઇને લંડનમાં ચાલી રહેલી સુનાવણીમાં કોંગ્રેસના સામેલ મુંબઇ અને અલ્હાબાદ હાઇકોર્ટના એક પૂર્વ જ્જ અભય થિપ્સેની નીરવ મોદીના પક્ષમાં જુબાની આપવાનો મામલાને લઇને રાજકારણ ગરમાયું છે. ભાજપે આ મામલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં રાહુલ ગાંધી પર મોટો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસમાં સામેલ પૂર્વ જ્જે નીરવ મોદીના પક્ષમાં જુબાની આપતા ધમાસાણ
ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ઘેર્યું, લગાવ્યો મોટો આરોપ
ખરેખર તો અભિય થિપ્સેએ વીડિયો કોન્ફરન્સ દ્વારા જુબાનીમાં લંડનની કોર્ટને જણાવ્યું કે સીબીઆઇએ નીરવ મોદી પર લગાવેલા આરોપ ભારતીય કાયદા હેઠળ ટકી શકશે નહીં. ઉલ્લેખનીય છે કે અભય થિપ્સે 2018માં કોંગ્રેસમાં સામેલ થયા હતા.
ભાજપે રાહુલ અને કોંગ્રેસપર આકરા પ્રહાર ક કર્યાં
ભાજપ નેતા અને પ્રવક્તાએ ટવિટ કરી રાહુલ ગાંધી પર નિશાન તાક્યું છે. તેણે કહ્યું કે અહીં ભારતમાં રાહુલ ગાંધી નીરવ મોદીને લઇને સરકારને સવાલ પુછી રહ્યાં છે જ્યારે બીજી તરફ રાહુલના ખાસ તેમજ કોંગ્રેસના અભિય થિપ્સે (પૂર્વ જ્જ) નીરવ મોદીના પક્ષમાં જુબાની આપે છે. રાહુલ ગાંધી કેમ ઇચ્છે છે કે નીરવ મોદી ભારત ન આવે. તે રાતે પાર્ટીમાં રાહુલ ગાંધી અને નીરવ મોદી વચ્ચે શું લેણ-દેણ થઇ હતી ?
यहाँ भारत में राहुल गाँधी नीरव मोदी को ले,सरकार से सवाल पूछते है ..
दूसरी तरफ़ राहुल के ख़ास एवं Congress के Abhay Tipsay (पूर्व judge) नीरव मोदी के पक्ष में गवाह बनते है
आख़िर ऐसा क्या है जो राहुल नहीं चाहते नीरव भारत आए?
उस रात पार्टी में राहुल और नीरव में क्या लेन देन हुई थी? pic.twitter.com/jrHDeDP6B2
અભય થિપ્સે જુબાની આ કહ્યું
ચેસ ગ્રાન્ડ માસ્ટર્સ પ્રવિણ થિપ્સેના ભાઇ અભય થિપ્સેએ કહ્યું કે ભારતીય કાયદા મુજબ જ્યાં સુધી કોઇને છેતરવામાં ન આવે ત્યાં સુદી તેની પર છેતરપિંડી ના કહેવાય. છેતરપિંડીના કેસમાં છેતરવવું મહત્વનો ભાગ છે. જો LoUs જારી થવાથી જો કોઇની સાથે છેતરપિંડી નથી થઇ તો કોઇ કોર્પોરેટ ઉદ્યોગની સાથે છેતરપિંડીનો સવાલ જ નથી.
બેંકના અધિકારીઓએ LoUS જારી કરવાનો જે અધિકારી આપવામાં આવ્યો છે તેને પ્રોપર્ટી કહી ના શકાય અને તેને સંપત્તિ સાથે જોડાવાનું પણ ના કહી શકાય. જેથી આ ભરોસો તોડનારો ગુનો ના બની શકે. ઉલ્લેખનીય છે કે અભય થિપ્સે એ જ 2015માં અભિનેતા સલમાન ખાનને જામીન આપી હતી.