ભાગેડુ નીરવ મોદીને હાલ ભારતમાં નહી લાવી શકાય, યુકેની કોર્ટ દ્વારા તેને રોકાવાની અપીલ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે. જેથી તેને ભારતમાં લાવવા વધું સમય લાગી શકે છે.
નિરવ મોદીને હાલ ભારતમાં નહી લાવી શકાય
યુકેની કોર્ટે તેને અપીલ કરવા આપી મંજૂરી
માનસીક સ્વાસ્થ્યને લઈને કોર્ટે આપી તેને મંજૂરી
યુકેના ઉચ્ચ ન્યાયાલયે હીરા કરોહારી નીરવ મોદીને રાહત આપી છે. કોર્ટે તેના માનસિક સ્વાસ્થ્યના આધારે ભારતમાં આત્મસમર્પણ સામે અપીલ દાખલ કરવાની પરવાનગી આપી દીધી છે. નીરવના વકીલોએ કોર્ટને એવું કહ્યું કે તેની માનસીક સ્થિતીને જોતા આત્મસમર્પણ કરવું ઠીક નથી.
માનસિક સ્વાસ્થ્યને લઈને ચિંતા વ્યક્ત કરી
યુનાઈટેડ કિંગડમની કોર્ટના જજ માર્ટિન ચેંબરલેને નીરવમોદીના વકીલોએ કહ્યું કે તેમનું માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી સાથેજ તેમણે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો છે. જેને લઈને તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. જજે એવું પણ કહ્યું કે મુંબઈની ઓર્થર રોડ જેલમા કેદીઓની આત્મહત્યાના બનાવો પણ બનતા રહેતા હોય છે.
આધાર ત્રણ અને ચારને અનુલક્ષીને અપીલ
જજે સમગ્ર મામલે એવું કહ્યું કે તેઓ આધાર ત્રણ અને ચારને અનુલક્ષીને અપીલ કરવાની અનુમતી આપી શકે છે. આધાર ત્રણ અને ચારનો અધિકાર યુકેમાં સુરક્ષા અને અધિકારને અનુલક્ષીને છે. જે 2003માં યુકેમાં ઘડવામાં આવ્યો હતો. આ અદિકાર યુકેની ધારા 91ને સંબંધિત છે. જેને લઈને સ્વાસ્થ્યને અનુલક્ષી અપીલ કરી શકાય છે.
આત્મહત્યા કરી શકે તેનો ઉલ્લેખ
ઉલ્લેખનીય છે કે નીરવમોદીના વકીલે તેના મનોચિકિત્સક ડૉક્ટર વીશેની વાત કહી કે તેમના ડૉક્ટરે પણ કહ્યું છે કે તે આત્મહત્યાનો પ્રયાસ કરી શકે છે. સાથેજ વકીલોએ એવું પણ કહ્યું કે કોરોના મહામારીને કારણે તેમના માનસિક સ્વાસ્થ્ય પર ભારે અસર થઈ છે. સાથેજ વકીલોએ એવું કહ્યું કે ભારતના આશ્વાસન પર પણ ભરોસો ન કરવો જોઈએ.