પીએનબી કોંભાંડના આરોપી અને હીરા વેપારી નીરવ મોદીની રીમાન્ડ પર લંડન કોર્ટમાં આજરોજ સુનાવણી હાથ ધરાશે. નીરવ મોદી વિરુધ્ધ પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે. 48 વર્ષીય નીરવ મોદી ગત મહીને ધરપકડ થયા બાદ દક્ષિણ-પશ્ચિમની લંડનની વેડ્સવર્થ જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે નીરવ મોદીને જેલથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 29 માર્ચે મેજિસ્ટ્રેટે એ આધાર પર જામીન અરજી ફગાવી દીધી હતી કે નીરવ મોદી પાસે એકથી વધારે પાસપોર્ટ હોય તે દેશ છોડી ફરાર થઇ શકે છે.
જો કે કોર્ટમાં સુનાવણી દરમિયાન કેટલાક નવા તથ્યો પણ રજૂ કરવામાં આવી શકે છે. જો કે એક મળતાં અહેવાલ મુજબ નીરવ મોદી ત્રીજ વખત જામીન માટે અરજી દાખલ કરે તેવી સંભાવના છે. આમ 13400 કરોડ પીએનબી બેન્ક કૌભાંડના આરોપી નીરવ મોદીના રિમાન્ડ અંગે આજે લંડન કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. નીરવ મોદી જેલમાંથી વીડિયોલિંક દ્વારા વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજરી આપશે.
હાલ નીરવ મોદી સામે પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે અને ગત મહિને નીરવ મોદીની ધરપકડ બાદ તેને દક્ષિણ-પશ્ચિમ લંડનની વૈડ્સવર્થ જેલમાં બંધ કરાયેલ છે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી પાસે એકથી વધુ પાસપોર્ટ છે અને તે ફરાર થઇ શકે છે, જેને લઇ 29 માર્ચે ચીફ મેજિસ્ટ્રેટે નીરવ મોદીની જામીન અરજીને ફગાવી દીધી હતી.