ભાગેડું વિજય માલ્યા અને નીરવ મોદીને ભારત લાવાવની વાતો ચાલી રહી છે. ત્યારે હજુ તેમને લાવવાની વ્યવસ્થા થઈ નથી. ત્યા તેમને જેલમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચાઓ ચાલી રહી છે. તેના માટેના રૂમ પણ તૈયાર કરાઈ દીધા છે. શું છે આ ભાગેડુંઓની સુવિધા?
ગુજરાતીમાં સરસ કહેવત છે કે ભેંસ ભાગોળે અને છાશ છાગોળે. આ કહેવત ભારતમાં સાચી પડવા જઈ રહી છે. એક તરફ ભારતમાંથી કરોડોનું કૌભાંડ કરીને નાસી ગયેલા માલ્યા કે નીરવ મોદીને પકડવાના ઠેકાણા નથી ત્યા આ આરોપીને ભારતમાં લાગ્યા પછી કઈ જેલમાં રાખવામાં આવશે તેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. મુંગેરી લાલના હસીન સપનાઓની જેમ ભારતમાં પ્રત્યાર્પણ બાગ નીરવ મોદી અને વિજય માલ્યાને જેલમાં રાખવા માટે મુંબઈની આર્થર રોડ જેલમાં વિશેષ સેલ તૈયાર કરવામાં આવ્યો છે.
જેલના એક સેલમાં સામાન્ય રીતે ત્રણ કેદી રહેતા હોય છે, પરંતુ આ વિશેષ સેલમાં વિજય માલ્યા અને નીરવ મોદી એમ બે કેદી જ રહેશે. 300 ચોરસફૂટના આ સેલની દીવાલોને નવેસરથી શ્વેત પેઇન્ટથી રંગવામાં આવી છે. સેલમાં ગાદલા અને તકિયા સાથેના પલંગ ઉપરાંત સીલિંગને સ્પર્શતી ફ્રેન્ચ બારીઓ પણ જોવા મળે છે. પંખા-લાઇટની સુવિધા ઉપરાંત ૨૪ કલાક પાણી પુરવઠા સાથેના શૌચાલય અને શાવરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ભારતમાં ઘરના છોકરા ઘંટી ચાટે જેવો ઘાટ સર્જાયો છે. અહીં લોકો પાસે પુરતી સુવિધાઓ નથી ત્યાં આવા ચોરો માટે ખાસ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે આ વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થાય છે કે સામાન્ય કેદીની સરખામણીમાં આ વીઆઈપી કેદીઓ માટે સેલ સ્ટુડિયો એપાર્ટમેન્ટ જેવી સુવિધાઓ આપવામાં કેમ આવે છે. દેશને અબજોનું નુકશાન કરાવનારા આવા લૂંટારાઓને કેમ જમાઈની જેમ સાચવવામાં આવે છે.