એકાદશીના વ્રતનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. દરેક મહિનામાં એકાદશીના વ્રત આવે છે અને બધા વ્રતનું પોતાનુ અલગ મહત્વ છે. જેમાંથી સૌથી ખાસ છે નિર્જલા એકાદશીનું વ્રત.
નિર્જલા એકાદશીના વ્રતને માનવામાં આવે છે શ્રેષ્ઠ
એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત
નિર્જલા એકાદશીનુ પૂજા મુહૂર્ત અને વ્રતની વિધિ
એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત
જયેષ્ઠ મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિને નિર્જલા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. આ મહિનામાં દિવસ મોટા થવા લાગે છે તેથી આ મહિનાને જયેષ્ઠ મહિનાના નામથી ઓળખવામાં આવે છે. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા-અર્ચના કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે.
નિર્જલા એકાદશી તિથિ 2022
નિર્જલા એકાદશી 2022 તિથિ 10 જૂન, સવારે 7:25 મિનિટે આરંભ થશે અને બીજા દિવસે 11 જૂન સાંજે 05:45 મિનિટે સમાપ્ત થશે.
નિર્જલા એકાદશી વ્રતનુ મહત્વ
હિન્દુ ધર્મમાં બધી એકાદશીઓમાં નિર્જલા એકાદશીના વ્રતને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. સૌથી કઠિન વ્રતમાંથી એક નિર્જલા એકાદશીનું વ્રત છે. આ દિવસે વ્રત રાખનારા લોકો અન્ન અને જળનો ત્યાગ કરે છે. એવી માન્યતા છે, જે જાતક વ્રતને વિધિપૂર્વક કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે અને બધા પાપનો નાશ થાય છે.
નિર્જલા એકાદશી વ્રતની પૂજા વિધિ
ધાર્મિક ગ્રંથોમાં એકાદશીના વ્રતના મોટાભાગના નિયમો અંગે જણાવવામાં આવ્યું છે. એકાદશી વ્રતમાં નિયમોનું પાલન ના કરવાથી વ્રતનુ પૂર્ણ ફળ પ્રાપ્ત થતુ નથી. આ દિવસે સ્નાન કર્યા બાદ સૂર્ય દેવને જળ અર્પણ કરો અને ત્યારબાદ પૂજા સ્થળ પર બેસીને વ્રતનો સંકલ્પ લો. ભગવાન વિષ્ણુની પૂજા આરંભ કરો. ભગવાન વિષ્ણુને પીળા રંગના વસ્ત્રો પહેરાવો. આ સાથે પૂજા દરમ્યાન પીળા ફૂલોનો ઉપયોગ કરો. માન્યતા છે કે ભગવાન વિષ્ણુને પીળા રંગ ખૂબ પ્રિય છે. તેથી આ રંગનો વધુમાં વધુ પ્રયોગ કરો. આ દિવસે અન્ન અને જળનો ત્યાગ કરો અને બીજા દિવસે દ્વાદશીના દિવસે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરો.