મહાબળેશ્વરમાં મળ્યો નિપાહ વાયરસ. આ જીવલેણ છે કેમ કે આની કોઈ સારવાર નથી.
મહાબળેશ્વરની ગુફાઓમાં નિપાહ વાયરસ
ચામાચિડીયામાં નિપાહ વાયરસ હાજર હોવાની ખરાઈ થઈ છે
એનઆઈવીના વૈજ્ઞાનિકોએ અહીંથી ચામાચિડીયાના ગળાને સ્વેબ લીધા હતા
ચામાચિડીયામાં નિપાહ વાયરસ હાજર હોવાની ખરાઈ થઈ છે
કોરોનામાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. ત્યારે તેના પર વધુ એક સંકટ તોડાઈ રહ્યું છે. સાતારા જિલ્લાના મહાબળેશ્વરની ગુફાઓમાં નિપાહ વાયરસ મળ્યો છે. મીની કાશ્મીરના નામ પ્રખ્યાત મહાબળેશ્વરના જંગલોમાં એક ગુફાની અંદર રહેનારા ચામાચિડીયામાં નિપાહ વાયરસ હાજર હોવાની ખરાઈ થઈ છે. આ વાતથી સ્થાનીક લોકો પરેશાન છે. જ્યારે સ્થાનીક કલેક્ટર કાર્યાલય અને વન વિભાગને આની કોઈ જાણકારી નથી.
એનઆઈવીના વૈજ્ઞાનિકોએ અહીંથી ચામાચિડીયાના ગળાને સ્વેબ લીધા હતા
માર્ચ 2020માં પુણેની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના વૈજ્ઞાનિકોએ મહાબળેશ્વરની ગુફામાં ચામાચિડીયાના ગળાને સ્વેબના સેમ્પલ લીધા હતા. તપાસમાં આ વાયરસ હોવાનું જાણવા મળ્યું હતુ. વૈજ્ઞાનિક ટીમના નેતૃત્વમાં ડો. પ્રજ્ઞા યાદવ કરી રહી છે. ડો. પ્રજ્ઞા યાદવના અનુસાર આની પહેલા નિપાહ વાયરસ ચામાચિડીયામાં જોવા નહોતો મળ્યો. જો આ વાયરસ માણસોમાં ફેલાસે જો જીવલેણ સાબિત થશે. આની કોઈ સારવાર નથી. એટલા માટે જોખમ 65થી 100 ટકા મોતનું જોખમ છે.
નિપાહના સમાચાર બાદ પચગની વિસ્તારમાં મહાબલેશ્વરમાં લોકો ચિંતિત છે આ વિસ્તારના લોકોની આજીવિકા પર્યટન પર આધારિત છે. પરંતુ જિલ્લા કલેક્ટર કાર્યાલય અને વન વિભાગને આ વાતની જાણકારી નહોતી કે એનઆઈવી વૈજ્ઞાનિકોને મહાબલેશ્વરથી ચામાચિડીયાના સ્વેબના નમૂના લીધા હતા. ત્યારે સવાલ એ છે કે એક વર્ષ માટે રિપોર્ટને કેમ દબાવી રાખવામાં આવી. એક વર્ષ બાદ કેમ આને સાર્વજનિક કરવામાં આવી.
આ રીતે ફેલાય છે આ વાયરસ
આ દરમિયાન ચામાચિડીયા પર શોધ કરી રહેલા ડો. મહેશ ગાયકવાડે કહ્યું છે કે લોકોને આનાથી ગભરાવાની જરુર નથી. નિપાહ વાયરસ ઈન્ડોનેશિય, મલેશિયા અને ઉત્તર પૂર્વમાં જોવા મળ્યા છે. નિપાહ વાયરસ હજું સુધી મહારાષ્ટ્રમાં ચામાચિડીમાં નથી મળ્યો. એનઆઈવીનો જે રિપોર્ટ છે કે તેને સંપૂર્ણ વાંચ્યા બાદ આના પર ચર્ચા કરી શકાય. તેમણે કહ્યું કે ચામાચિડીયા કોઈ ફળ ખાઈને નીચે ફંકી દે અને તેને કોઈ માણસ ખાય તો તે ફેલાઈ શકે છે. એટલે માણસોએ એ જગ્યાએ ન જવું જોઈએ જ્યાં ચામાચિડિયા વધારે છે. તથા એ ઝાડ પર પથ્થર ન મારવા જોઈએ જેના પર ચામાચિડીયા વધારે છે.
સંક્રમક સમય બહું લાંબો હોય છે
આનો ઈંક્યૂબેશન પીરિયડ એટલે કે સંક્રમક સમય બહું લાંબો હોય છે. ઘણીવાર 45 દિવસે ખબર પડે છે કે આ સંક્રમણ છે. ત્યાં સુધીમાં અનેક લોકોમાં તે ફેલાઈ ચૂક્યો હોય છે. જાનવરો પણ સંક્રમિત થઈ શકે છે.
સંક્રમિત લોકોએ આ ધ્યાન રાખવું
નિપાહ વાયરસ સીધા સંપર્કથી ફેલાય છે. સાથે સંક્રમિત લોકોની સાથે જમવાનું શેર કરવાથી ફેલાય છે. સંક્રમિતોને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ખાંસી આવે છે. થાક અને દુઃખાવો અનુભવાય છે. આની સાથે તાવ જેવા લક્ષણો જોવા મળે છે. વધારે તાવ આવતા મગજમાં સોઝો આવે છે અને વ્યક્તિનું મોત થઈ શકે છે.