ટેમ્પો સવાર લોકો ધર્મસ્થળ, સુબ્રમણ્યમ અને હસનમ્બાના મંદિરોમાં દર્શન કરી પરત કર્ણાટકમાં ફરતા વચ્ચે જ સર્જાયો અકસ્માત
કર્ણાટકમાં અકસ્માતમ નવ લોકોના મોત
ટેમ્પો અને દૂધ વાહન વચ્ચે સર્જાયો અકસ્માત
CM બસવરાજ બોમાઈએ સહાયની જાહેરાત કરી
કર્ણાટકના હાસનમાં ટેમ્પો અને દૂધ વાહનએ એકબીજાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીયનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીર હાથ ધરી હતી.
Hassan, Karnataka | 9 people died in an accident involving a head-on collision between a Tempo traveller vehicle and a KMF milk vehicle near Gandhinagar in Arsikere taluka while returning home after visiting Dharmasthala, Subramanya, Hasanamba temples: Police pic.twitter.com/DTbMkbWnWI
સમગ્ર ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર કર્ણાટકના ગાંધીનગર પાસે અરસિકેર તાલુકામાં અકસ્માતની ઘટના બની હતી. ટેમ્પો અને દૂધની ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કેએમએફની દૂધની ગાડીની ઝડપ વધુ હોવાથી અકસ્માત સર્જાયો હતો. પોલીસે કહ્યું કે બંન્ને ગાડીઓ એકબીજા સામે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો જેમાં નવ લોકોના મોત થયા છે.
ટેમ્પો સવાર લોકો દર્શનાર્થથી આવી રહ્યા હતા
સમગ્ર પાલીસ તપાસમાં વિગતો સામે આવી હતી કે, ધર્મસ્થળ અને હસનમ્બાના મંદિરોથી દર્શન કરી પોતાના વતન તરફ પાછા ફરી રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પોલીસે સમગ્ર ઘટનાની જાણ પરિવારજનોને કરી હતી.
કર્ણાટકના મુખ્યમંત્રીની સાહય જાહેરાત
સમગ્ર ઘટના પર શોક વ્યક્ત કરતા કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ નવ લોકોના પરિવારોને 2 લાખ રૂપિયાની આપવાની પણ જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે તે ખૂબ જ દુઃખદ છે કે ગઈકાલે હાસન જિલ્લામાં આરકેરેમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં નવ લોકોના મોત થયા તેમજ લખ્યું હતું દિવંગત આત્માઓને શાંતિ મળે.