કોરોના વાયરસના નવા પ્રકાર 'ઓમિક્રોન'ની પ્રથમ ઓળખ કરનાર ડૉક્ટર એન્જેલિક કોએત્ઝીએ વેક્સિનની ઓમિક્રૉન પર અસર મુદ્દે એક ચોંકાવનારી માહિતી આપી છે.
ડૉક્ટર એન્જેલિક કોએત્ઝીએ આપ્યું નિવેદન
100 દર્દીઓ જોઈ ચૂક્યા છે ઓમિક્રૉનના
10 માંથી 9 દર્દીઓ વેકસીનેટેડ નથી
કોરોના વાયરસના નવા પ્રકાર 'ઓમિક્રોન'ની પ્રથમ ઓળખ કરનાર ડૉક્ટર એન્જેલિક કોએત્ઝીએ એક ચોંકાવનારી માહિતી આપી છે. 10 માંથી 9 દર્દીઓ વેકસીનેટેડ નથી
તેમણે જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાના ICUમાં દાખલ 10 માંથી 9 ઓમિક્રોન દર્દીઓને રસી આપવામાં આવી નથી. આ પહેલા પણ ઘણા નિષ્ણાતો કોરોના વાયરસના આ નવા સ્વરૂપ સામે રસીકરણની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. ડૉ. કોએત્ઝીએ કહ્યું હતું કે ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી ફેલાશે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના 161 કેસ મળી આવ્યા છે. જો કે, આમાંના મોટાભાગના દર્દીઓ માત્ર હળવા લક્ષણો દર્શાવે છે.
એક ન્યૂઝ એજન્સીએ જણાવ્યા અનુસાર ડૉ. કોએત્ઝીએ ચેતવણી આપી છે કે ભલે નવી સ્ટ્રેઇન રસી લીધેલા લોકોને ગંભીર રીતે બીમાર ન કરી શકે, પરંતુ જેઓ રસી નથી લેતા તેમને તે ખરાબ રીતે રોગ અને તેના લક્ષણો ઊભા કરી શકે છે.
Nine out of 10 patients of #Omicron in ICU in South Africa are unvaccinated: Dr Angelique Coetzee, who first detected Omicron (20.12.2021) pic.twitter.com/84YQNV3akf
તેમણે કહ્યું હતું કે, '...મને ખબર નથી કે તમારા ડોકટરો ઓમિક્રોનની ગંભીરતા વિશે શું કહે છે, પરંતુ મેં હજી સુધી ઓમિક્રોનનો ગંભીર કેસ જોયો નથી. આશા છે કે તેઓ અમારા જેવા માત્ર હળવા કેસો જ જોઈ રહ્યા છે, પરંતુ જેઓ રસી લેતા નથી તેઓ ગંભીર રીતે સંક્રમિત થઈ શકે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી શકે છે.
તેમણે કહ્યું હતું કે વેકસીનેશન નથી થયું તેવા લોકોને ICU માં દાખલ કરવા પડી શકે છે. હું જરૂર એમ કહીશ કે આપણા દેશમાં વેક્સિન નહીં લેનાર લોકોની તુલનામાં વેક્સિન લઈ ચૂકેલા લોકો ઓછા લક્ષણોનો સામનો કરી રહ્યા છે. કારણ કે આજે તસવીર બદલાઈ ચૂકી છે. આજે વેક્સિન લીધેલા લોકોને પણ હું જોઉ છું કે તેઓ વારંવાર સંક્રમિત થયા હશે પણ તેઓમાં લક્ષણો ગંભીર નથી હોતા.
100 ઓમિક્રૉન સંક્રમીતોની સારવાર કરી ચૂકયા છે
ડૉક્ટર કોએત્ઝીએ 100 ઓમિક્રૉન સંક્રમીતોની સારવાર કરી ચૂકયા છે તેમણે કહ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટ કરતાં આ ઝડપથી ફેલાય છે. 100 પેશન્ટમાં મી ઓમિક્રૉનની ફેલાવાની ઝડપ ઑબ્ઝર્વ કરી કહેર અને 90 ટકા લોકોને પરિવારમાં પણ તે સંક્રમિત કરી દે છે.