બેદરકારી / ઉત્તર બિહારમાં ચમકીથી વધુ 9 બાળકોનાં મોત, અત્યાર સુધીમાં 144નો લેવાયો ભોગ

Nine more children deaths due to chamki bukhar in North Bihar

મુઝફ્ફરપુરમાં અત્યાર સુધીમાં કુલ ૧૪૪ બાળકોનાંમોત થવાથી લોકોમાં તંત્ર સામે ભારે રોષ છે. એસકેએમસીએચ અને કેજરીવાલ હોસ્પિટલમાં ૩૯ નવા કેસ નોંધાયા છે અને હાલ આ બાળકો સારવાર હેઠળ છે. ૧૮ દિવસમાં એઈએસના ૪૩૦થી વધુ કેસ સામે આવતાં તંત્ર પણ દોડતું થઈ ગયું છે. બિહાર સરકાર તરફથી હજુ સુધી જો કે ફક્ત ૯૦ બાળકોનાં મોતની જ પુષ્ટિ કરવામાં આવી છે, પણ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે સાચા આંકડા જાહેર કરતું નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ