રાજસ્થાનના ધરતીપુત્રો જમીનમાં 4-4 ફૂટ ઊંડા ખાડા બેઠા છે. કોઈ એકલા બેઠા છે તો કોઈ પોતાના પુત્ર અને પરિવાર સાથે. આ ખેડૂતો ખાડામાં બેસી પોતાની વેદના પ્રદર્શિત કરી રહ્યા છે. ભારત ભૂમિ બચાવો' અને `ભારતમાલા કિસાન સંઘર્ષ સમિતિ'ના સંયુક્ત નેતૃત્વમાં ચાલતું આ આંદોલન સળંગ કડીમાં 86માં દિવસમાં પહોંચ્યું છે.
રાજસ્થાનના ધરતીપુત્રો જમીનમાં 4-4 ફૂટ ઊંડા ખાડા બેઠા છે
ખેડૂતો ખાડામાં બેસી પોતાની વેદના પ્રદર્શિત કરી રહ્યા છે
આ આંદોલન માટે દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે માટે કરાઈ રહેલું જમીન સંપાદન કારણભૂત છે
ખેડૂતોના આ આંદોલન માટે ભારતમાલા પ્રોજેક્ટ હેઠળના દિલ્લી-મુંબઈ એક્સપ્રેસ વે માટે કરાઈ રહેલું જમીન સંપાદન કારણભૂત છે. સરકારે એક્સપ્રેસ વે માટે સપ્ટેમ્બર 2018થી ખેડૂતોની જમીનનું સંપાદન શરૂ કરાયું છે. જેના વિરોધમાં ખેડૂતોએ આંદોલન છેડી દીધું. ખેડૂતોએ આ નવતર વિરોધ પ્રદર્શનને `જમીન સમાધિ સત્યાગ્રહ' નામ આપ્યું છે. વિરોધ પ્રદર્શનનો આ વર્ષનો આ 57મો દિવસ છે અને અને તાજા અભિયાનનો આ ત્રીજો દિવસ છે.
ખેડૂતોની આ છે માગણી
ખેડૂતોની માગણી છે કે, બિન ઉપજાઉ જમીન પરથી હાઈવે પસાર કરવામાં આવે
ઉપજાઉ અને સિંચાઈ વાળી જમીનને સંપાદનથી બહાર રાખવામાં આવે
ભારતમાલા પ્રોજેક્ટને કારણે નર્મદા કેનાલ પર અસર ન પડે તે નક્કી કરવામાં આવે
વિભાજિત થઈ જતા ખેડૂતોના ખેતરો વચ્ચે ઓવરબ્રિજ બનાવવામાં આવે
રાજસ્થાન સરકાર તરફથી જાહેર કરેલા DLC પ્રમાણે વળતર ચૂકવવામાં ન આવે
સંપાદિત થયેલી જમીનનું વળતર વર્તમાન બજારભાવ પ્રમાણે ચૂકવવામાં આવે
ખેડૂતો પોતાની આ માગણીને લઈને ઘણા દિવસથી આ રીતે સરકારનું ધ્યાન ખેંચી રહ્યા છે. ખેડૂતો ઈચ્છામૃત્યુની મંજૂરી પણ માંગી ચૂક્યા છે. પરંતુ સરકારના કોઈ પ્રતિનિધિ તેમની પાસે ફરક્યા નથી જેના કારણે ખેડૂતો સરકારથી નારાજ થયા છે.
#WATCH Rajasthan: Farmers stage 'zameen samadhi satyagraha' (half-bury their bodies in the ground) to protest against provisions of acquisition of their land by Jaipur Development Authority (JDA), at Nindar village in Jaipur. pic.twitter.com/CjFGLpcZyv
ખેડૂતોના મતે જે જમીનના વર્તમાન બજાર ભાવ વીઘા દીઠ ભાવ-15થી 20 લાખ રૂપિયા છે. તે જમીનના વળતર પેટે રાજસ્થાન સરકાર માત્ર 2 થી 2.5 લાખ રૂપિયા આપી રહી છે. આ દર ખેડૂતોને અન્યાયી લાગી રહ્યા છે. આથી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેડૂતો લડત ચાલુ રાખવાનું ખેડૂતોએ મન બનાવી લીધું છે.
હાલ તો આ સત્યાગ્રહમાં માત્ર રાજસ્થાનના જ ખેડૂતો જોડાયેલા છે. પરંતુ જો સરકાર હજુ પણ ખેડૂતોની માગણી સામે ધ્યાન નહીં આપે તો ધુળેટી પહેલા જ સમગ્ર દેશમાંથી 5 લાખ ખેડૂતોને રાજસ્થાન એકઠા કરવાની રણનીતિ ખેડૂતોએ ઘડી લીધી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, રાજસ્થાન સરકાર ખેડૂતોની આ માગણીનો કેવો પ્રત્યુત્તર આપે છે.