કથાકાર મોરારીબાપુએ વિવાદસ્પદ નિવેદનને લઇને માફી માગી લીધી છે. મોરારીબાપુએ નીલકંઠ અને નિલકંઠવર્ણીના નિવેદનથી વિવાદ થયો હતો. જો કે મોરારી બાપુએ પોતાના નિવેદન પર મિચ્છામી દુક્કડમ કહ્યું છે.
મોરારીબાપુએ જણાવ્યું કે મારા નિવેદનથી કોઇની લાગણી દુભાઇ હોય તો હું માફી માગુ છું. કથાકાર મોરારીબાપુએ નિલકંઠવર્ણીને લઇને આપેલા વિવાદાસ્પદ નિવેદનથી સાધુ અને સંતોએ નારાજગી વ્યક્ત કરી હતી.
મોરારીબાપુના નિવેદન પર પ્રેમવત્સલ સ્વામીના પ્રહાર
કથાકાર મોરારી બાપુએ સ્વામીનારાયણ સંપ્રદાય પર વિવેદાસ્પદ નિવેદન આપ્યુ હતું જેને લઈને તેમની ટીકા થઈ રહી છે. ત્યારે તેમના આ મામલે સ્વામિનારાયણ મંદિરના મહંત પ્રેમવત્સલ સ્વામીએ નિવેદન આપતા મોરારી બાપુ પર પ્રહાર કર્યા હતા.
તેમણે જણાવ્યું છે કે, સ્વામીનારાયણ સંપ્રદાય પણ મોરારી બાપુનો ઇતિહાસ જાણે છે. મોરારી બાપુની હિસ્ટ્રી જાણીએ તેમ છતા અમે કઈ બોલતા નથી. તેમણે જણાવ્યુ કે, કોઈ પણ સમાજ પર નિવેદન આપતા પહેલા બાપુએ વિચારવું જોઈએ.
મોરારી બાપુના નિવેદન પર પ્રેમવત્સલ સ્વામીએ જણાવ્યું કે બાપુએ વ્યાસપીઠને છાજે તેવું બોલવું જોઇએ. આમ મોરારીબાપુના નિવેદન પર પ્રેમવત્સલ સ્વામીએ નિશાન સાધ્યું છે. કથાકાર મોરારીબાપુએ આ અગાઉ સંપ્રદાય પર વિવાદિત નિવેદન આપ્યું હતું.
મોરારીબાપુના આ નિવેદનથી થયો હતો વિવાદ
મોરારીબાપુએ નીલકંઠ અને નીલકંઠવર્ણીને લઇને નિવેદન આપતા વિવાદ સર્જાયો હતો. જેમાં મોરારીબાપુએ નીલકંઠનો અભિષેક એટલે શિવનો જ અભિષેક અને સંપ્રદાયના નીલકંઠએ બનાવટી નીલકંઠ હોવાનું નિવેદન આપ્યું હતું. જો કે મોરારીબાપુના આ નિવેદનને લઇને સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ અને સંતોમાં નારાજગી વ્યાપી હતી.