ગુજરાતમાં અનેક મંદિરો ફેમસ છે ત્યારે વડોદરામાં પોઈચા ગામમાં નીલકંઠ ધામ એક ફેમસ ટૂરિસ્ટ સ્પોટ છે. અહીં ફરતી સમયે તમને મંદિર નહીં પણ મહેલનો અનુભવ થશે. અહીંની ઈમારત, મંદિરની નીચે વહેતી નર્મદાની લહેર અને ખાસ પ્રકારની ભગવાનની પ્રતિમાઓના કારણે પણ આ મંદિર ટૂરિસ્ટ અને શ્રદ્ધાળુઓમાં આકર્ષણ ધરાવે છે.
નર્મદા કિનારે આવેલું છે નીલકંઠ ધામ
બની ચૂક્યું છે શ્રદ્ધાળુઓ સહિત ટૂરિસ્ટમાં પણ ફેમસ
ખાસ પ્રકારની ભગવાનની પ્રતિમાના કારણે આવે છે શ્ર્દ્ધાળુઓ દર્શનાર્થે
ગુજરાતમાં આમ તો અનેક મંદિરો પ્રખ્યાત છે. પરંતુ પોઈચા ગામમાં આવેલું નીલકંઠ ધામ સ્વામીનારાયણ મંદિર પર્યટકોમાં ઘણું જાણીતું છે. આ મંદિર ભરુચથી 80 કિમી અને વડોદરાથી 60 કિમીના અંતરે આવેલું છે. નર્મદા નદીના કિનારે બનેલું આ મંદિર લગભગ 105 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે.
મંદિરની આ છે ખાસિયતો
આ મંદિરનું નિર્માણ સ્વામીનારાયણ ગુરુકૂળ રાજકોટ દ્વારા કરાયું છે. અહીં ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ સ્થાપિત કરાઈ છે. આ મંદિરનું પરિસર પણ આકર્ષક છે. તેમાં ભગવાન ગણેશ, શિવલિંગ અને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાઈ છે. અહીં મંદિરની ઈમારતની વચ્ચે સરોવર બન્યું છે. આ સાથે જ અહીં અનેક નાના મંદિરો પણ છે. આ કારણે શ્રદ્ધાળુઓ અહીં અવાર નવાર આવવાનું અને દર્શનનો લાભ લેવાનું પણ પસંદ કરી રહ્યા છે.
આ કારણે મંદિરમાં રહે છે શ્રદ્ધાળુઓની ભીડ
મંદિરનું પરિસર કોઈ મહેલ જેવું તૈયાર કરાયું છે. મંદિરની નીચેની તરફ વહેતી નર્મદા નદીમાં ડૂબકી લગાવવા માટે શ્રદ્ધાળુઓની ભીડ સવારથી ભેગી થાય છે. અંધારું થાય ત્યારે મંદિરને અલગ જ પ્રકારની લાઈટિંગથી સજાવવામાં આવે છે. આ સજાવટ અને લાઈટિંગથી મંદિરની સુંદરતા ઘણી વધી જાય છે. રાતે અહીં લાઈટ શોનો કાર્યક્રમ પણ યોજાય છે.
મંદિરમાં દર્શનનો સમય
સવારે 9.30થી રાતે 8.00 સુધી
આરતીનો સમય - સવારે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી
અભિષેકનો સમય - સવારે 5.30 વાગ્યાથી 6 વાગ્યા સુધી
લાઈટ શોનો સમય - સાંજે 7 વાગ્યાથી
મંદિરમાં છે આ ખાસ સુવિધાઓ પણ
જો તમે સવારથી આ મંદિર પહોંચી ચૂક્યા છો અને તમને ભૂખ પણ લાગી છે તો તમારે કશે બહાર જવાની જરૂર નથી. તમે મંદિરના પરિસરમાં આવેલા ફૂડ કોર્ટની મજા લઈ શકો છો. તમે જો બહારથી આવ્યા છો તો તમારા માટે રૂમ બુક કરાવવાની સુવિધા પણ છે, તમે (+91) 9925033499 પર ફોન કરી શકો છો અને સાથે જ તમારા રહેવાની પણ વ્યવસ્થા સરળતાથી કરી શકો છો. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મંદિર રાતના 9.30 વાગે બંધ થઈ જાય છે.