ભારતમાં એવા ઘણા મંદિર જાણીતા છે જે ભગવાન શિવને સમર્પિત છે. આજે એક એવા મંદિર માટે વાત કરીશું જેની સ્થાપના પાંડવોના ભાઇ યુધિષ્ઠિર દ્વારા કરવામાં આવી હતી. યમુના બજાર ક્ષએત્ર સલીમઘઢ કિલ્લા રિંગ રોડ કાશ્મીરી ગેટ નવી દિલ્હીમાં સ્થિતઆ મંદિરનું નામ નીવી છતરી છે.
માનવામાં આવે છે કે અહીંયા યુધિષ્ઠિરે અશ્વમેઘ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ મંદિરના ઇતિહાસ માટે કોઇ વિશેષ ઉલ્લેખ નથી પરંતુ આ મંદિરને પાંડવા કાલીન મંદિર કહેવામાં આવે છે. એનું પરિસર વાદળી રંગના ટાઇલ્સની બનેલું છે એટલા માટે એનું નામ પણ નીલી છતરી પડી ગયું છથે. શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તોની ભીડ જોવા મળે છે.
રાતના સમયે જ્યારે ચંદ્રની રોશની મંદિર પર પડે છે તો નીલી છતરીની સુંદરતાને વધારે વધારી દે છે. મંદિરના ડોમની નીચે જ ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ભગવાનને લાડુનો પ્રસાદ ચઢાવવાથી મનની દરેક કામના પૂરી થાય છે. શ્રાવણના પૂરા મહિનામાં અહીંયા ભક્તોની ભીડ જોવા મળે છે. દૂરદૂરથી લોકો દર્શન માટે આવે છે.
મંદિરમાં ભગવાન શિવના દર્શન માટે સૌથી સારો સમય શિવરાત્રીના તહેવાર દરમિયાન થાય છે જ્યારે આ જોરદાર રીતે શણગારવામાં આવે છે. આ મંદિરનો મુખ્ય દ્વારા જૂની દિલ્હીથી ગાંધી નગર તરફ આવવાના રસ્તા પર છે.