ફિલ્મ કબીર સિંહમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતનાર અભિનેત્રી નિકિતા દત્તાએ તાજેતરમાં તેની સાથે બનેલી એક ઘટના વિષે જણાવ્યું જે ખુબ દર્દનાક હતી.
નિકિતા દત્તા સાથે ઘટી ભયાનક ઘટના
2 સ્નેચરોએ તેનો ફોન છીનવી લીધો
આસપાસના લોકોએ મદદ કરી પરંતુ...
નિકિતાનો ખરાબ અનુભવ
ટીવી અને બોલિવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તાએ તાજેતરમાં જ મુંબઈની શેરીઓમાં તેની સાથે બનેલો દર્દનાક અનુભવ શેર કર્યો હતો. એક્ટ્રેસે ખુલાસો કર્યો કે જ્યારે તે બાંદ્રા, મુંબઈના રસ્તા પર ચાલી રહી હતી ત્યારે તેનો ફોન છીનવાઈ ગયો હતો.
રસ્તા વચ્ચે છીનવ્યો ફોન
સોશ્યલ મીડિયા પર નિકિતા દત્તાએ સમગ્ર ઘટના શેર કરી અને ખુલાસો કર્યો. અભિનેત્રીએ લખ્યું, 'મેં ગઈકાલે એક દુઃખદ અનુભવ શેર કર્યો જે ખૂબ જ નાટકીય હતો અને તેણે મને 24 કલાકની મુશ્કેલી આપી. હું લગભગ 7:45 વાગ્યે બાંદ્રામાં 14મી લેન પર ચાલી રહી હતી. બે શખ્સો બાઇક પર આવ્યા હતા. પાછળથી બે બાઇક સવાર વ્યક્તિ આવ્યા અને માથા પર ટપલી મારી હતી. જેણે મને એક ક્ષણ માટે તો વિચલિત કરી નાંખી હતી. બાદમાં મારો ફોન ઝૂંટવીને ભાગી છૂટ્યા હતા.
સ્નેચરો નાસી છૂટવામાં સફળ રહ્યાં
બિગ બુલ મૂવી સ્ટારે વધુમાં જણાવ્યું કે આ ઘટનાએ તેને આઘાતમાં મૂકી દીધી. તે એક ક્ષણ માટે કંઈ સમજી શકી નહીં. આસપાસ ફરતા લોકો મદદ માટે દોડવા લાગ્યા, ઘણા લોકોએ તે સ્નેચર્સને ફોલો કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને તે લોકો ત્યાંથી ભાગી ગયા.
ફોર્માલિટીઝ પૂરી કરી
નિકિતાએ વધુમાં કહ્યું કે, 'આ ઘટનામાં મેં અનુભવેલી લાચારી અને ગુસ્સાને કારણે હું ખૂબ જ ડરી ગઈ હતી'. નિકિતા દત્તાએ મદદ માટે આગળ આવેલા લોકોનો આભાર માન્યો હતો. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે તેણે તમામ જરૂરી ફોર્માલિટીઝ પૂર્ણ કરી લીધી છે. અંતે, નિકિતાએ આશા વ્યક્ત કરી કે આવું ક્યારેય કોઈની સાથે નહીં થાય.