યુથ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ નિખીલ સવાણીએ આક્ષેપ કર્યા કે, કોંગ્રેસના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું આ ષડયંત્ર
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ખેંચતાણ
કોંગ્રેસમાં જૂથ બંધી આવી ચરમસીમાએ
નિખિલ સવાણીના કોંગ્રેસ પર ગંભીર આરોપ
ગુજરાત યુથ કોંગ્રેસમાં કકળાટ થયો છે. પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ નિખિલ સવાણીએ રાજીનામુ આપ્યું છે. પત્રકાર પરિષદ યોજી નિખીલ સવાણીએ રાજીનામું આપ્યું છે. મહત્વની વાત છે કે રાજીનામાની જાહેરાત બાદ નિખિલ સવાણીને યુથ કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા છે. કોન્ફરન્સમાં નિખીલ સવાણીએ કોંગ્રેસ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા. નિખીલે કહ્યું, યુથ કોંગ્રેસે મેમ્બરશીપ અભિયાન પૈસા ઉઘરાવવા માટે કર્યું હતું.
''NSUIને કેટલાક લોકો પોતાના બાપની જાગીર સમજે છે''
દર ત્રણ વર્ષે મેમ્બરશીપ અભિયાન માત્ર રૂપિયા ઊઘરાવવા માટે જ થાય છે. તાજેતરમાં જ પ્રદેશ કાર્યલય પર જે ઘટના ઘટી હતી. તે ઘટના કોંગ્રેસના સિનિયર નેતાઓની હાજરીમાં 2 દિવસ પહેલા બની હતી. અમિત ચાવડા, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી અને હિમતસિંહ પટેલની હાજરીમાં જ હતી. કેટલાક લોકો યુથ કોંગ્રેસ અને NSUIને પોતાના બાપની જાગીર સમજે છે. આવું કહી તેઓએ ઇન્દ્રવીજયસિંહ ગોહિલ અને તેના જૂથ પર આડકતરી રીતે પ્રહાર કર્યો હતો.
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના ઘરે કોંગ્રેસના આગેવાનો જઈ રહ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતા હજુ હાર્દિક પટેલના ઘરે ગયા નથી. હાર્દિક પટેલના પિતાનું અવસાન થયું છતાં કોઈ ઘરે ગયું નથી. હાર્દિક પટેલની કોંગ્રેસમાં સતત અવગણના થાય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે કોઈ કાર્યક્રમ હાર્દિક પટેલની સતત અવગણના થાય છે. કોંગ્રેસના નેતાઓ જ હાર્દિક પટેલની રાજકીય હત્યા કરવાનું કાવતરૂ ઘડી રહ્યા છે. હાર્દિકની રાજકીય હત્યા કરવાનું આ ષડયંત્ર છે. હાર્દિક પટેલ સાથે અનેક અન્યાય થયા છે. રાજકોટના અત્યારના મેયર અને તેના જેવા અનેક કાર્યકરોએ આવા લોકોના કારણે કોંગ્રેસ છોડી ગયા. કોંગ્રેસના જ નેતાઓ દ્વારા હાર્દિક પટેલની રાજકીય હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે.
નિખીલના નિવેદનને હાસ્યાસ્પદ ગણાવ્યું
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથ બંધી ચરમસીમાએ પહોંચી છે. યુથ કોંગ્રેસના નેતાઓ સામ સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યાં છે. યુથ કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ નિખિલ સવાણીએ કોંગ્રેસની આંતરિક ચૂંટણી માત્ર ફંડ ભેગું કરવા થતી હોવાનો આરોપ લગાવ્યો તો સામે પક્ષે યુથ કોંગ્રેસ નેતા પાર્થિવરાજ કઠવાડિયાએ હાસ્યાસ્પદ વાત ગણાવી અને કહ્યું કે અતિ મહત્વકાંક્ષાને કારણે આવા દલબદલુઓ આવા કામ કરે છે.