મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકાર નાઈટ કર્ફ્યૂ લગાવી શકે છે.
દિલ્હીમાં વધ્યું કોરોના સંક્રમણ
સરકાર લગાવી શકે છે નાઈટ કર્ફ્યૂઃ સૂત્ર
દિલ્હીમાં કોરોનાની ચોથી લહેર
લોકડાઉનની કોઈ યોજના નહીંઃ મુખ્યમંત્રી
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધવાના કારણે દિલ્હી સરકાર નાઈટ કર્ફ્યૂ લગાવવાનો વિચાર કરી રહી છે. સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે. એક અધિકારીએ કહ્યું કે રાતના સમયે કર્ફ્યૂ લગાવવાની સરકારની યોજના છે અને તેને લઈને તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ કર્ફ્યૂના સમય પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે અને રાતના 10થી સવારના 5 વાગ્યા સુધી આ કર્ફ્યૂ હોઈ શકે છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે રહ્યું કે દિલ્હી સંક્રમણની ચોથી લહેરનો સામનો કરી રહી છે પણ લોકડાઉનની કોઈ વિચારણા નથી.
दिल्ली में अब आप किसी भी वक्त कोरोना वैक्सीन लगवा सकते हैं। पात्र लोग आगे आएं और वैक्सीन ज़रूर लगवाएं। दिल्ली में हम सुविधाओं की कोई कमी नहीं होने देंगे। https://t.co/XWao256RTf
વેક્સીનેશન અભિયાનને લઈને દિલ્હી સરકારનો મોટો નિર્ણય
આ સમયે દિલ્હીમાં વેક્સીનેશનમાં ઝડપ લાવવા માટે દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ સરકારી વેક્સીનેશન કેન્દ્રો પર એક તૃતિયાંશ કેન્દ્રો પર રાતે 9થી સવારના 9 વાગ્યા સુધી વેક્સીન લગાવાશે. આ સાથે આ સેન્ટર પર વેક્સીનેશનનું કામ 24 કલાક કરાશે.
दिल्ली में #COVID19 के 3,548 नए मामले सामने आए हैं। 2,936 लोग डिस्चार्ज हुए 15 लोगों की मृत्यु हुई।
ઉંમરની સીમાની બાધ્યતા હટાવવાની માંગણી
અત્યાર સુધી સરકારી કેન્દ્રો પર 12 કલાક સુધી વેક્સીન લગાવવામાં આવી રહી છે. આ માટે દિલ્હીના મુખ્યમંત્રી અપરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરી છે. તેમાં લખ્યું છે કે દિલ્હીમાં તમે કોઈ પણ સમયે કોરોના વેક્સીન લગાવી શકો છો. લોકો આવશે અને વેક્સીન લગાવાશે. દિલ્હીમાં અમે સુવિધાઓની કોઈ ખામી રાખીશું નહીં. આ પહેલા પણ મુખ્યમંત્રીએ કહ્યું કે દિલ્હી સહિત દેશમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે પીએમ મોદીને પત્ર લખીને વેક્સીનેશન સેન્ટરમાં શરતોમાં છૂટ આપવાની અને વેક્સીનની સીમાની બાધ્યતા હટાવવાની માંગ કરાઈ છે.