પંજાબમાં કોરોના વાઈરસના કેસો વધતા વહિવટી તંત્ર દ્વારા જલંધર,કપુરથલા અને હોશિયારપુર શહેરમાં નાઈટ કર્ફ્યુ લગાડવાની જાહેરાત કરાઈ છે.
જલંધરમાં રાતના 11 થી સવારના 5 સુધી કર્ફ્યુ
લોકો કારણ વગર ઘરની બહાર નહી નીકળી શકે
શાળાના બાળકોમાં કોરોના પોઝિટીવના કેસો વધી રહ્યાં છે
જિલ્લા વહિવટી તંત્રે જણાવ્યું કે જલંધરમાં રાતના 11 થી સવારના 5 સુધી કર્ફ્યુ ચાલુ રહેશે. શનિવારથી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. કર્ફ્યુ દરમિયાન લોકો કારણ વગર ઘરની બહાર નહી નીકળી શકે. નાઈટ કર્ફ્યુમાં ફક્ત જરુરી સેવાઓે છૂટ અપાઈ છે. વહિવટી તંત્રના આગામી આદેશ સુધી આ કર્ફ્યુ ચાલુ રાખવાનું જણાવાયું છે.
ડીસી ઘનશ્યામ થોરીએ જણાવ્યું કે કોરોનાના ખતરાને પહોંચી વળવા લોકોએ પ્રશાસનને સહયોગ આપવો જોઈએ. મહાનગરમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. ચિંતાની વાત એ છે કે સૌથી વધારે નવા પોઝિટીવ કેસ શાળાના બાળકોમાં નોંધાઈ રહ્યાં છે.
74 ટકાથી વધારે એક્ટિવ કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં
મંત્રાલયે કહ્યું કે દેશમાં કોવિડ -19ના કુલ સારવાર લઈ રહેલા દર્દીઓમાં 74 ટકાથી વધારે કરેળ અને મહારાષ્ટ્રમાં છે. એ બાદ છત્તીસગઢ અને મઘ્ય પ્રદેશમાં પણ મામલા વધી રહ્યા છે. પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં પણ રોજ બરોજ મામલામાં વૃદ્ધિ થવાની પ્રવૃત્તિ જોવા મળી છે. જે 18, 200થી વધી 21, 300 થઈ ગઈ છે. જ્યારે અઠવાડિયાની પુષ્ટિ દર 4.7થી વધી 8 ટકા થઈ ગઈ છે.
સંક્રમણના મામલામાં રાષ્ટ્રીય દરથી મહારાષ્ટ્ર ઘણું આગળ છે
મંત્રાલયે કહ્યું કે 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સંક્રમણની સાપ્તાહિક પુષ્ટીનો દર રાષ્ટ્રીય ટકા 1.79થી વધારે છે. આ દર મહારાષ્ટ્રમાં સૌથી વધારે છે. જે 8.10 છે. કેન્દ્રએ આ તમામ રાજ્યોના 5 ઉપાયો પર ભાર દેવાની સલાહ આપી છે. જેમાં આરટી પીસીઆર તપાસ, સખત વ્યાપક નજર, જિલ્લામાં ક્લીનિકલ મેનેજમેન્ટ વગેરે સામેલ છે. મહારાષ્ટ્રમાં રવિવારે 6971 નવા કેસ આવ્યા છે. દેશમાં કુલ કેસની સંખ્યા 21 લાખને પાર થઈ ગઈ છે.