ગુજરાતમાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે આ કર્ફ્યૂની મુદત 20 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે
ગુજરાતમાં કફર્યૂની મુદતમાં વધારો થઈ શકે છે
20મે સુધી ગુજરાતમાં કફર્યૂ લંબાવાઈ શકે છે
કોર કમિટીની બેઠકમાં લેવાશે નિર્ણય
20મે સુધી ગુજરાતમાં કફર્યૂની સ્થિતિ યથાવત રહી શકે છે
ગુજરાત સહિત આખા દેશમાં કોરોના વાયરસના કેસમાં તબાહી મચાવી રહ્યો છે ત્યારે ગુજરાત સહિત આખા દેશના જુદા જુદા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં રાત્રિ કર્ફ્યૂ સહિતના કડક પ્રતિબંધોની અવધિ આવતીકાલે સમાપ્ત થઈ રહી છે ત્યારે ગુજરાત સરકાર કર્ફ્યૂની મુદતમાં વધારો કરે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કફર્યૂની મુદતમાં વધારો થઈ શકે છે
ગ્રામીણ વિસ્તારમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ
ગુજરાતમાં 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે આ કર્ફ્યૂની મુદત 20 મે સુધી લંબાવી દેવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં શહેરોમાં કોરોના વાયરસના કેસમાં આંશિક રાહત મળી રહી છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ કેસ ચિંતાજનક છે ટાયરે સરકાર રાત્રિ કર્ફ્યૂની મુદતણે 20 તારીખ સુધી લંબાવી શકે છે. ગુજરાતમાં કોરોના વાયરસના રોકથામ માટે નિર્ણય લેવા કોર કમિટીની બેઠક થવાની છે અને આ બેઠકમાં મોટો નિર્ણય લેવાઈ શકે છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં કોરોનાના 11,592 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે આજે 117 લોકોના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સતત બીજા દિવસે 117 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે. આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 8511 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે, નવા કેસની સામે આજે ગુજરાતમાં 14,931 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 5,47,935 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. આમ આજે કેસ વધ્યા છે પરંતુ સાજા થનારનો આંકડો રાહત આપનારો છે. રાજ્યમાં હાલ 792 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 1,36,158 પર પહોંચ્યો છે.