ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય : 8 મનપામાં 28 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યુ લંબાવાયું, રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે
8 મનપામાં નાઇટ કર્ફ્યુ લંબાવાયું
રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ રહેશે
28 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યુ લંબાવાયું
કોરોના સંક્રમણને લઇ રાજ્ય સરકારે લીધો નિર્ણય
ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસ સતત ઓછા જ નોંધાઈ રહ્યા છે ત્યારે રાજ્યની આઠ શહેરોમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ ફરીથી લંબાવી દેવામાં આવ્યું છે, રાજ્યનાં આઠ મોટા શહેરો એટલે મનપાઓમાં આ રાત્રિ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યું છે.
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂને લઈને મોટો નિર્ણય : 8 મનપામાં 28 ઓગસ્ટ સુધી નાઇટ કર્ફ્યુ લંબાવાયું, રાત્રે 11 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે#gujarat@CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 15, 2021
સમયમાં કોઈ છૂટ ન મળી
નોંધનીય છે કે ગુજરાતીઓને રાત્રિ કર્ફ્યૂનાં સમયમાં પણ કોઈ ખાસ રાહત મળી નથી. રાતનાં 11 વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ પડશે.
કોઈ જ નવી છૂટછાટની જાહેરાત નહીં
નોંધનીય છે કે આ સિવાય ગુજરાતમાં જે પ્રતિબંધો કોરોના વાયરસ ગાઈડલાઇન તથા સોશ્યલ ડિસ્ટન્સને અનુલક્ષીને લગાવવામાં આવ્યા છે તે બધા જ નિયંત્રણો એમના એમ જ ચાલુ રાખવામાં આવ્યા છે અને કોઈ જ નવી છૂટછાટ આપવામાં આવી નથી.