રાજ્યના મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં CM રૂપાણીએ જણાવ્યું હતુ કે, આગામી 15 દિવસ મોટા 4 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં કર્ફ્યૂ યથાવત રહેશે.
ગુજરાતના 4 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરામાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. જેમાં રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ રહેશે. કર્ફ્યૂના કારણે જ કોરોના કંટ્રોલમાં આવ્યો છે.