કોરોનાના મામલાને જોતા જમ્મુ કાશ્મીરમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો છે.
20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો
કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે
9 વાગ્યની પેહલા બંધ કરવા પડશે બજાર અને પ્રતિષ્ઠાનો
20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો
જમ્મુ કાશ્મીરમાં તેજીથી વધી રહેલા કોરોનાના મામલાને જોતા રાજ્યના તમામ 20 જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ કર્ફ્યૂ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે. આનાથી પૂર્વ જિલ્લા મેજિસ્ટ્રેટે સંક્રમણ દર જોઈને નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્દેશ કર્યો હતો. ત્યારે રાત્રિ કર્ફ્યૂના સમયે રાતના 10 લાગ્યાથી સવાર સુધી નિર્ધારિત હતા. મુખ્ય સચિવ ડો. અરુણ કુમાર મેહતાની અધ્યક્ષતામાં બુધવારે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સંક્રમણ દર વધવા પર નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રિ કર્ફ્યૂને બુધવારથી આવતા આદેશ સુધી અમલમાં મુકી દીધો છે.
જમ્મુ, શ્રીનગર સહિત અન્ય કેટલાક જિલ્લામાં કડકાઈની તૈયારી શરુ થઈ ગઈ
આની પહેલા જિલ્લા મેજિસ્ટ્રેટ સંબંધિત જિલ્લામાં કોરોના મામલાનો દર જોતા રાત્રિ કર્ફ્યૂનો સમય નક્કી કરતા હતા. જેમાં મોટા ભાગના જિલ્લામાં 10 વાગ્યાથી 6 વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂનો સમય રહેતો હતો. કર્ફ્યૂના પ્રતિબંધો છતાં આવરજવર પર વધારે અસર નહોંતી પડી. સંક્રમણના વધતા કેસને જોતા ખાસ કરીને વધારે અસરગ્રસ્ત જિલ્લા જમ્મુ, શ્રીનગર સહિત અન્ય કેટલાક જિલ્લામાં કડકાઈની તૈયારી શરુ થઈ ગઈ છે.
9 વાગ્યની પેહલા બંધ કરવા પડશે બજાર અને પ્રતિષ્ઠાનો
બજારો, વ્યાપારિક સંગઠનોને હવે 9 વાગ્યાની પહેલા જ બંધ કરવું પડશે. આની પહેલા રાતે સાડા 10 વાગ્યાથી વધારે સમય સુધી પ્રતિષ્ઠાન ગતિવિધિઓ જારી રહેતી હતી. બેઠકમાં સ્વાસ્થ્ય તથા ચિકિત્સા શિક્ષા વિભાગ અનુસાર મુખ્ય સચિવ વિવેક ભારદ્વાજે જમ્મુ કાશ્મીરમાં કોરોના સંક્રમણની હાજરી સ્થિતિ અંગે જાણકારી આપતા પ્રતિબંધો વધારવાની ભલામણ કરી. કોવિડ વિશેષજ્ઞ પહેલા જ પ્રદેશમાં આગામી સંક્રમણ દરમાં તેજી આવવાની ચેતવણી આપી ચૂક્યા છે.