ભારતમાં કોરોના વાયરસના કેસ ફરીથી વધી રહ્યા છે ત્યારે પંજાબના ચાર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
પંજાબમાં વધતા કોરોનાના કેસને લઇને સરકાર એકશનમાં
શનિવારથી પંજાબના ચાર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ
જાલંધર, એસબીએસ નગર, હોશિયારપૂર અને કપૂરથલામાં નાઈટ કર્ફ્યૂ
પંજાબમાં વધતા કોરોનાના કેસને લઇને સરકાર એકશનમાં
પંજાબમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો હોવાથી શનિવારે ચાર જિલ્લામાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. પંજાબના મુખ્ય સચિવ વિની મહાજન અને પોલીસ તંત્રએ કોરોના વાયરસની પરિસ્થિતિ પર બેઠક કરી હતી જે બાદ આ આદેશ આપવામાં આવ્યા છે.
પંજાબના ચાર જિલ્લામાં નાઇટ કર્ફ્યૂ લાગુ
જે જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે તેમ જાલંધર, એસબીએસ નગર, હોશિયારપૂર અને કપૂરથલા સામેલ છે. આ જિલ્લાઓમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. નોંધનીય છે કે 24 કલાક ચાલતા કારખાનાઑમાં નાઈટ કર્ફ્યૂને લઈને છૂટ આપવામાં આવી છે.
જાલંધરમાં 8 સ્કૂલના 79 વિદ્યાર્થી અને 13 શિક્ષક પોઝિટિવ
નોંધનીય છે કે છેલ્લા ચાર સપ્તાહથી કોરોના વાયરસના કેસમાં ફરીથી વૃદ્ધિ જોવા મળી રહી છે. સૌથી વધારે ટેન્શન મહારાષ્ટ્રમાં વધ્યું છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં વધતાં કેસને જોતાં કેન્દ્ર સરકાર પણ અલર્ટ થઈ છે. કેન્દ્ર સરકાર આ બંને રાજ્યોમાં ખાસ ટીમ પણ મોકલવામાં આવી છે.
પંજાબમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 6661
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે આ ટીમ એવા વિસ્તારોમાં જશે જ્યાં કોરોના વાયરસના કેસ ખૂબ અધિક છે અને તેથી સંક્રમણના કારણો જાણવા માટે ટીમ કામ કરશે. નોંધનીય છે કે પંજાબમાં 6661 એક્ટિવ કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં 90,055થી વધુ એક્ટિવ કેસ છે.