દેશમાં અનલોક-1 લાગુ કર્યા બાદ સતત કોરોના વાયરસનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. એવામાં અનલોકમાં આપવામાં છૂટછાટ મુદ્દે સરકારે ફરીવાર સ્પષ્ટતા કરી છે. સરકારે કહ્યું કે નાઈટ કર્ફ્યું ચાલુ રહેશે પરંતુ આ કર્ફ્યુંમાં હાઈવે પર ટ્રક-બસ જેવા વાહનોને રોકવા નહીં. આ સિવાય જરૂરી સેવા આપતા લોકોને પણ છૂટ આપવામાં આવી છે.
નાઈટ કર્ફ્યુંમાં કેટલાક રાજ્ય ટ્રકો અને બસને રોકે છે
સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આપ્યા આદેશ
જરૂરી સેવા આપતા લોકોને પણ છૂટ
હાઈવે પર ગાડીઓ રોકવામાં ન આવે
દેશમાં વધતાં કોરોના વાયરસ કેસ વચ્ચે ગૃહમંત્રાલયે અનલોકમાં પણ રાત્રીમાં લાગુ થતાં નાઈટ કર્ફ્યું પર સ્પષ્ટતા કરી છે. ગૃહમંત્રાલયે કહ્યું કે જરૂરી સેવાઓ છોડીને અન્ય લોકો ઘરની બહાર નીકળી શકશે નહીં અને હાઈવે પર ગાડીઓ રોકવામાં ન આવે તેવો આદેશ આપવામાં આવ્યો છે.
કર્ફ્યુંમાં કડકપણે લાગુ થશે પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું કે રાત્રે 9થી સવારનાં 5 વાગ્યા સુધી કડકપણે કોઈને ઘરની બહાર નીકળવા પ્રતિબંધ રહેશે. પરંતુ જરૂરી સેવાઓથી જોડાયેલા લોકોને તેમાં છૂટછાટ છે. આ સિવાય અમુક રાજ્ય હાઈવે પરથી પસાર થતા ટ્રક અને બસને રોકી રહ્યા છે પણ હવે રાજ્યોને આમ કરવા માટે કહેવામાં આવ્યું છે.
અધિકારીઓને આપ્યા નિર્દેશ
ગૃહમંત્રાલયે કહ્યું કે રાત્રે 9થી સવારના પાંચ સુધી લોકોને એકઠા થવા પર પ્રતિબંધ છે પરંતુ હાઈવે પર ચાલતી બસ અને ટ્રક પર આ નિયમ લાગુ પડતો નથી. કેન્દ્ર શાસિત પ્રદેશોને પણ રાજમાર્ગો પર બસો અને ટ્રકૉને ન રોકવા આદેશ આપ્યા છે. આ સિવાય મુદ્દે અધિકારીને નિર્દેશ પણ આપવામાં આવ્યા છે.
અનલોક-1માં કર્ફ્યુંમાં મળી છે છૂટ
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસનાં કારણે લાંબા સમય સુધી લોકડાઉન રહ્યા બાદ ધીમે ધીમે લોકડાઉન ખોલવાના તબક્કામાં અનલોક-1માં સરકારે કર્ફ્યુંમાં થોડી છૂટછાટ આપી હતી. પહેલા જે કર્ફ્યું સાત વાગે લાગુ થતો હતો તે હવે 9 થી 5 જ રહે છે. જોકે હવે તેના પર પણ ફરીવાર સરકારે ખુલાસો કરી દીધો છે કે હાઈવે પર આ કર્ફ્યું લાગુ પડતો નથી.