મધ્યપ્રદેશમાં બે શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશમાં પણ પાબંધીઓ શરૂ
ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂ
આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યે બંધ થઈ જશે બજારો
મહારાષ્ટ્ર સહિત કેટલાય રાજ્યોમાં કોરોના વાયરસના કારણે ફરી વાર હાલત બેકાબૂ થઈ રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિને સંભાળવા માટે ગુજરાત સહિતના રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે.
આઠ શહેરોમાં બજાર બંધ
કોરોના વાયરસના વધતાં કેસની સામે શિવરાજ સરકારે બુધવારે ભોપાલ અને ઈન્દોરમાં નાઈટ કર્ફ્યૂ લગાવી દીધો છે. મધ્ય પ્રદેશના આઠ શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બજારને બંધ કરી દેવામાં આવશે. આ શહેરોમાં જબલપૂર, ગ્વાલિયર, ઉજ્જૈન, રતલામ, છીન્દવાડા, બુરહાનપૂર, બૈતૂલ અને ખરગોન સામેલ છે. આ શહેરોમાં કોરોના વાયરસની પરિસ્થિતિને જોતાં બજારને રાત્રે બંધ કરાવી દેવામાં આવશે અને નવા આદેશ 17મી તારીખથી લાગુ કરવામાં આવશે.
કોરોના વાયરસ મહામારી માર્ચ મહિનામાં ફરીથી માથું ઊંચકી રહી છે. મહામારીના કારણે ભારતમાં કેસની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં માર્ચ મહિનાના 15 જ દિવસમાં કેસની સંખ્યા બમણી થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 24,492 કેસ સામે આવ્યા છે જે પહેલી માર્ચ
કોરોના વાયરસ કેસ અપડેટ :
ભારતમાં 16મી માર્ચે કોરોના વાયરસના નવા 24, 492 કેસ સામે આવ્યા છે જ્યારે કુલ કેસની સંખ્યા વધીને 1,14,09,831 પહોંચી ગઈ છે. એક દિવસમાં 131 મોત બાદ કુલ મોતનો આંકડો પણ 1,58,856 પહોંચી ગયો છે અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 2,23,432 છે.
આઠ રાજ્યોમાં કોરોનાનો ગ્રાફ વધ્યો :
દેશના આઠ રાજ્યોમાં કોરોના વાયરસના કેસમાં વધારો જોવા મળ્યો છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. કેરળમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો સામે આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ટેન્શન વધ્યું :
દેશમાં અડધાથી પણ વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના એક દિવસમાં નવા 15,051 કેસ સામે આવ્યા છે જ્યારે 48 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ લંબાયું :
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021 થી ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે. રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.