NIA took action in 6 states including Gujarat in ISIS module case, Suspect Jalil Mulla was interrogated and released on the condition of not leaving Surat
સર્ચ ઓપરેશન /
ગુજરાતમાં NIA-ATSની તપાસઃ આખા દિવસની પુછપરછ બાદ જલીલ મુલ્લાને છોડી દેવાયો, સુરતની બહાર જવાની મનાઈ
Team VTV11:55 PM, 31 Jul 22
| Updated: 12:19 AM, 01 Aug 22
દેશમાં આતંકી ષડયંત્રની તપાસ કરતા NIAની ટીમે દેશમાં 6 રાજ્યોના 13 જગ્યાએ દરોડા પાડ્યા હતા, જેમાં ગુજરાતના પણ 4 જિલ્લાનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં NIA-ATS તપાસનો મામલો
જલીલ મુલ્લાને છોડી દેવાયો
જલીલને સુરત છોડવાની મનાઇ
ગુજરાત એટીએસ અને એનઆઈએ દ્વારા દેશભરમાં દેશ વિરોધી ચાલતી ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી કૃત્ય કરતા હોય તો તેની તપાસના આધારે તેની પૂછપરછ કરીને કામગીરી કરતી હોય છે. રવિવારે અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત એટીએસ અને એનઆઈએની ટીમ પહોંચી હતી.
શંકાસ્પદ જલીલ મુલ્લાને સુરત ન છોડવાની શરતે છોડી દેવાયો
જો સુરતની વાત કરીએ તો સુરતમાંથી 2 શંકાસ્પદની અટકાયત NIA અને SOG દ્વારા કરવામાં આવી હતી. જલીલની અટકાયત કરી પૂછપરછ માટે SOGની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા યુવકને પૂછપરછ બાદ સાંજે મુક્ત કરવામા આવ્યો હતો. રાત્રિના સમયે બાદમાં જલીલ મુલ્લાને પણ છોડી દેવામાં આવ્યો છે.આવતી કાલે ફરીથી પૂછપરછ માટે NIA બોલાવી શકે છે. જલીલને સુરત છોડવાની મનાઇનું ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. રવિવારે 11 કલાક કરતા વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે.
અમદાવાદ, સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું
નોંધનીય છે કે, 2021માં ઝડપાયેલા આતંકીઓનું કનેક્શન છેક ગુજરાત સુધી પહોચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું હોવાથી તપાસનો રેલો ઉપરોક્ત જિલ્લાઑમાં પહોંચ્યો છે. કર્ણાટકમાંથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. નવસારીમાં 1, સુરત 2 અને ભરૂચમાં 1, અમદાવાદ 2 શંકાસ્પદોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી.
ભરૂચ કનેક્શન પણ ખૂલ્યું
ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચના આમોદ અને કંથારીયામાં રહેતા પિતા પુત્રની આ મામલે પૂછપરછ શરૂ કરવામાં આવી છે.આમોદના મૌલાના અમિન અને તેના પુત્રની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૌલાના અમિન મદ્રેસામાં બાળકોના આભાસ કરાવતા હોવાની પ્રાથમિક માહિતી છે તો તેમનો પુત્ર આમોદ ખાતે રહેતો હોવાનું બહાર આવ્યું છે. બન્ને પાસેથી કેટલાક વાંધાજનક દસ્તાવેજો પણ મળી આવ્યા છે જેની તપાસ ચાલી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બન્નેની પૂછપરછમાં કોઈ વાંધાજનક પ્રવૃત્તિ બહાર આવશે તો ગુનો દાખલ કરવામાં આવશે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ 2021માં હૈદરાબાદ અને તામિલનાડુમાં કેટલાક લોકો દેશ વિરોધી પ્રવૃતિઓમાં ઝડપાયા હતા જેઓની પૂછપરછમાં ગુજરાત કનેકશન બહાર આવ્યું હોવાની શકયતા છે.
અમદાવાદ શાહપુરમાં પિતા-પુત્રની પૂછપરછ
કર્ણાટકમાંથી પકડાયેલ આતંકીઓની તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. ATS અને NIA દ્વારા અમદાવાદના શાહપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ભરૂચના મદરેસામાં અભ્યાસ કરતા હમ્માર શેખ અને ઇકબાલ શેખ ની અટકાયત બાદ ઘટસ્ફોટ થયો. ઇન્ટરનેશનલ કોલની શંકાસ્પદ હકીકત મળતા વહેલી સવારથી શાહપૂરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.શાહપુર નંદન સોસાયટી ગેટ નંબર-2ના ત્રીજા માળે 29 નંબર ઘરે NIA અને ATS દરોડા પાડ્યા પિતા ઇમદાદઉલ્લા અબ્દુલ સત્તાર શેખ ની ઘરેથી અટકાયત કરી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ત્રીજો દીકરો અમ્માર શેખ મોડી રાત્રે ઘરે આવી વહેલી સવારે જતો રહેતો હોવાની હકીકત મળી. NIA ના શંકાના દાયરામાં આવતા અમ્મારની પણ શોધખોળ શરૂ કરાઇ છે. પિતા ઇમદાદઉલ્લા શેખ મોબાઈલમાં શંકાસ્પદ એકાઉટ લખતો હોવાની શંકા ATS એ આજે સવારે પિતા ઇમદાદઉલ્લા શેખની શંકાસ્પદ પુરાવા સાથે અટકાયત કરી. ATS અને NIA ની તપાસમાં દેશ વિરોધી ઇન્ટરનેશનલ ફન્ડિંગ અને પ્રવૃત્તિ નો ઘટસ્ફોટ થાય તેવી શકયતા છે.