NIAએ ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી, તપાસમાં 6ની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે
NIA-ATSની ટીમનું ગુજરાતમાં સર્ચ
4 જિલ્લા 6 શંકાસ્પદોની અટકાયત
જરૂરી પૂરાવા મળ્યા હોવાનો દાવો
દેશમાં આતંકી ષડયંત્રની તપાસ કરતા NIAની ટીમે 13 જગ્યાએ દરોડા પાડ્યા હતા.જેમાં રાજ્યમાં નવસારી, સુરત, અમદાવાદ અને ભરૂચમાં NIAની ટીમોએ ધામા નાંખ્યા હતા.અને 6 શંકાસ્પદોની પૂછપરછ કરીને અટકાયતમાં લીધા છે.
નવસારીમાં 1, સુરત 2 અને ભરૂચમાં 1, અમદાવાદ 2 શંકાસ્પદોની અટકાયત
નવસારીના ડાભેલ ગામે શંકસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ માટે લઈ જવાયો છે.તો સુરત અને ભરૂચમાં NIA-ATSની ટીમ 2 વ્યક્તિને ઝડપી લીધા છે અને ISISના મોડ્યુલને લઈને તપાસ કરી રહી છે..આમોદમાં રહેતા મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ કરાઈ અટકાયતમાં લીધા છે. જયારે અમદાવાદના શાહપુર અને દરિયાપુરમાં NIA અને ATSએ સર્ચ હાથ ધર્યું છે.અને શાહપુરની નંદનવન સોસાયટી ભાગ-2માં શંકાસ્પદના ઘરે તપાસ શરૂ કરી છે..જેમાં ઈમદાદઉલ્લા અને અબ્દુલ સત્તાર શેખની અટકાયત કરી છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ?
ATS-NIAએ દ્વારા દેશભરમાં દેશવિરોધી ચાલતી પ્રવૃતિઓ મામલે કરી તપાસ
NIAએ ગુજરાત સહિત 6 રાજ્યમાં ISIS મોડ્યુલ કેસને લઈને કાર્યવાહી હાથ ધરી
અમદાવાદ, સુરત, ભરૂચ અને નવસારીમાં ગુજરાત ATS-NIAની ટીમ તપાસ કરી
તપાસમાં 4ની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે
અમદાવાદ, સુરત, નવસારી અને ભરૂચમાં શંકમંદોની પૂછપરછ કરવામાં આવી
ATSના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 4 જગ્યાએ રેડ કરીને સંયોગી પુરાવા એકત્ર કર્યા
દેશ વિરોધી કૃત્ય તેમજ જેહાદ કૃત્ય કરવામાં સામેલ હોવાની શંકા
NIA કેટલાક દિવસથી ગુજરાતના અલગ-અલગ વિસ્તારમાં કરતી હતી તપાસ
સોશિયલ મીડિયા તેમજ ઇન્ટરસેપ્શન વગેરે બાબતોના આધારે 4 લોકોની કરાઈ અટકાયત
ગુજરાત ATS-NIA દ્વારા અમદાવાદના શાહપુરમાં નંદન સોસાયટીમાં તપાસ કરી
ISISના મોડ્યુલ એક્ટિવ થયા હોવાની સંભાવનાને પગલે તપાસ શરૂ
ઇમદાદઉલ્લા સત્તાર શેખ નામના યુવકની અટકાયત કરી પૂછપરછ કરાઈ
ભરૂચના આમોદ અને કંથારીયામાંથી શકમંદ પિતા-પુત્રની અટકાયત
શકમંદે ભૂતકાળમાં કરેલી કેટલીક ગતિવિધિઓના પણ પુરાવા તેમની પાસે ઉપલબ્ધ
સુરતમાં શંકાસ્પદ 2 માંથી 1ની અટકાયત
સુરતમાંથી વધુ એક શંકાસ્પદની અટકાયત NIA અને SOGન દ્વારા કરવામાં આવી છે. જલીલની અટકાયત કરી પૂછપરછ માટે SOGની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યારે બીજા યુવકને પૂછપરછ બાદ મુક્ત કરવામા આવ્યો છે.
અમદાવાદ, સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું
નોંધનીય છે કે, 2021માં ઝડપાયેલા આતંકીઓનું કનેક્શન છેક ગુજરાત સુધી પહોચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ, સુરત અને ભરૂચમાંથી ફંડિંગ થયું હોવાથી તપાસનો રેલો ઉપરોક્ત જિલ્લાઑમાં પહોંચ્યો છે. કર્ણાટકમાંથી ઝડપાયેલા આરોપીઓની પૂછપરછમાં આ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદ શાહપુરમાં પિતા-પુત્રની પૂછપરછ
કર્ણાટકમાંથી પકડાયેલ આતંકીઓની તપાસનો રેલો ગુજરાત સુધી પહોંચ્યો છે. ATS અને NIA દ્વારા અમદાવાદના શાહપુરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ભરૂચના મદરેસામાં અભ્યાસ કરતા હમ્માર શેખ અને ઇકબાલ શેખ ની અટકાયત બાદ ઘટસ્ફોટ થયો . ઇન્ટરનેશનલ કોલની શંકાસ્પદ હકીકત મળતા વહેલી સવારથી શાહપૂરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.શાહપુર નંદન સોસાયટી ગેટ નંબર-2ના ત્રીજા માળે 29 નંબર ઘરે NIA અને ATS દરોડા પાડ્યા પિતા ઇમદાદઉલ્લા અબ્દુલ સત્તાર શેખ ની ઘરેથી અટકાયત કરી. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ત્રીજો દીકરો અમ્માર શેખ મોડી રાત્રે ઘરે આવી વહેલી સવારે જતો રહેતો હોવાની હકીકત મળી. NIA ના શંકાના દાયરામાં આવતા અમ્મારની પણ શોધખોળ શરૂ કરાઇ છે. પિતા ઇમદાદઉલ્લા શેખ મોબાઈલમાં શંકાસ્પદ એકાઉટ લખતો હોવાની શંકા ATS એ આજે સવારે પિતા ઇમદાદઉલ્લા શેખની શંકાસ્પદ પુરાવા સાથે અટકાયત કરી. ATS અને NIA ની તપાસમાં દેશ વિરોધી ઇન્ટરનેશનલ ફન્ડિંગ અને પ્રવૃત્તિ નો ઘટસ્ફોટ થાય તેવી શકયતા છે.