શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ મામલે હવે NIA તપાસ હાથ ધરશે. ઈસ્લામિક સ્ટેટના કોયમ્બતૂર મોડ્યૂલના કથિત સભ્યો અને શ્રીલંકામાં ઈસ્ટર બ્લાસ્ટ મામલે NIA પૂછપરછની તૈયારી કરી રહ્યું છે. NIA એ બાબતે તપાસ કરવા માગે છે કે શું ભારતના શંકાસ્પદ અને લંકાના આતંકીઓ અથવા તેના હેન્ડલરમાં કોઈ સંબંધ છે કે નહીં. જોઇએ સમગ્ર અહેવાલ.
શ્રીલંકામાં થયેલા સિરીયલ બ્લાસ્ટ મામલે NIA એ બાબતે તપાસ કરવા માગે છે કે શું ભારતના શંકાસ્પદ અને લંકાના આતંકીઓ અથવા તેના હેન્ડલરમાં કોઈ સંબંધ છે કે નહીં. એક અન્ય યુનિટ ISના કેરળ મોડ્યૂલ જેમાં 21 યુવાનો સામેલ છે. જૂન 2016માં વૈશ્વિક પ્રતિબંધિત આતંકી સંગઠન માટે લડવા અફઘાનિસ્તાન ગયા હતા. જેની NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
મહત્વનું છે કે જાકિર નાઈકના ભાષણોનાના ઉપયોગ ઢાકા હુમલામાં કરવામાં આવ્યો હતો. જેના રિપોર્ટ બાદ નાઈક વિરુદ્ધ તપાસ શરૂ કરાઈ હતી. માજિદના પિતાની ફરિયાદથી જાણવા મળ્યું કે 21 લોકો અફઘાનિસ્તાન ગયા છે. જેમાં જાફના જવાનો ઉલ્લેખ પણ છે. જે શ્રીલંકા લિંકને ઉજાગર કરે છે.
એવી પણ વાત સામે આવી છે કે ISએ આ હુમલો નેશલ તૌહીદ જમાતની મદદથી આ હુમલો કર્યો હતો. આ રીતે જ બાંગ્લાદેશમાં પણ ISએ જમાત-ઉલ-મુઝાહિદ્દીનની મદદથી હુમલો કર્યો હતો. ભારત માટે આ ગંભીર ચિંતાનો વિષય છે. જોકે પાડોશી દેશમાં થયેલા હુમલા અને અશાંતિ ભારત માટે મોટી ચિંતાનો વિષય છે.