રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા ટેરર ફંડિગ મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NIAએ જમ્મૂ-કાશ્મીરમાં એક સાથે 10 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યાં છે. અહીં ગેર સરકારી સંગઠનો દ્વારા જમ્મૂ-કાશ્મીરના આંતકીઓને ફંડ પહોંચાડવામાં આવી રહ્યું હતું. NIAએ કાશ્મીરમાં 10 જગ્યાઓ પર રેડ પાડી છે. જેમાં 9 શ્રીનગરમાં અને એક બાંદીપોરમાં છે. બેંગલુરુમાં પણ એક જગ્યા પર NIAએ દરોડા પાડ્યાં છે.
આતંકીઓને ફંડિંગ મામલે NIAની તપાસ
NIAએ દેશમાં 10 સ્થળે પાડ્યા દરોડા
શ્રીનગર, બાંદીપોરા, બેંગાલુરુમાં પાડ્યા દરોડા
પ્રાપ્ત મળતી વિગત અનુસાર આતંકીઓને ફંડિગ મામલે NIAએ દેશભરમાં 10 સ્થળે દરોડા પાડ્યાં છે. જેમાં શ્રીનગર, બાંદીપોર અને બેંગાલુરુમાં NIA દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
ઉલ્લેખનીય છે કે ટેરર ફંડિગ મામલે ISIS એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ ATSએ જાન્યુઆરીમાં મહમ્મદ રાશીદ નામના એજન્ટની ધરપકડ કરી હતી. આ સાથે NIAની તપાસમાં નવા ખુલાસા સામે આવે તેવી શક્યતા છે.
સૂત્રોને મળતી જાણકારી મુજબ NGO દ્વારા ટેરર ફાઇનાન્સિંગ પર આ NIAની આજની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી છે. NIAને મળેલી જાણકારી મુજબ ભારતમાં આતંકીઓ માટેની ફંડીગ વિદેશી ધરતી પરથી થઇ રહી હતી.
જમ્મૂ-કાશ્મીર, બેંગલુરુ સહિત 10 જગ્યાઓ પર NIA દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. NIA આ મામલે નવો કેસ દાખલ કર્યો છે. આ એ NGO છે જે કાશ્મીરમાં ટેરર ફંડિગ અને અલગાવવાદી ગતિવિધિઓ માટે મોટા પ્રમાણમાં દેશ-વિદેશથી ફંડિગ ભેગુ કરી રહ્યું હતું.