NIAની ટીમ શ્રીનગર, શોપિયાં, પુલવામા, અનંતનાગ અને કુલગામ સહિત કાશ્મીરના કેટલાક ભાગોમાં દરોડા પાડી રહી છે અને સૂત્રોના જણાવ્યા અનુસાર આ છાપામારી આતંકવાદી ફંડિંગ અને અન્ય આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન જમાત-એ-ઈસ્લામી (JeI) સાથે જોડાયેલા મોટાભાગના લોકોના ઘરોની તલાશી લેવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ NIAની ટીમે શોપિયન જિલ્લાના વાચી એરિયામાં રેડ પાડી હતી અને આ સાથે જ પુલવામા જિલ્લાના નેહમા, લિટ્ટર અને કુલગામ જિલ્લાના ફ્રેસલ વિસ્તારમાં હાલ રેડ ચાલી રહી છે. આ સાથે જ NIAની એક ટીમ અનંતનાગના અચવાલ જિલ્લામાં પણ પહોંચી ગઈ છે જ્યાં હાલ રેડ પડશે એવી માહિતી મળી રહી છે.
अनंतनाग (जम्मू-कश्मीर): प्रतिबंधित आतंकवादी संगठनों के प्रमुखों और सदस्यों की आतंकी गतिविधियों से संबंधित मामले में राष्ट्रीय जांच एजेंसी जम्मू-कश्मीर में कई स्थानों पर छापेमारी कर रही है। pic.twitter.com/wXqvGYPwKl
આ સાથે જ એવું જાણવા મળ્યું છે કે વહેલી સવારે શ્રીનગરમાં મહિલા અલગાવવાદી આસિયા અંદ્રાબીના ઘરમાં પણ દરોડા પાડયા હતા. નોંધનીય છે કે આસિયા હાલ જેલમાં છે અને તેનું ઘર 2019માં એનઆઈએ દ્વારા એટેચ કરવામાં આવ્યું હતું.
Targeted killing of minorities, security personnel: NIA raids multiple locations in J-K
જણાવી દઈએ કે સોમવારના એક દિવસ પહેલા 13 માર્ચના રોજ NIA એ ISIS કેરળ મોડ્યુલ કેસમાં શ્રીનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. NIA અધિકારીઓએ સર્ચ દરમિયાન ડિજિટલ ડિવાઇસ જપ્ત કર્યા છે. શ્રીનગરના કરફાલી મોહલ્લામાં ઉઝૈર અઝહર ભટના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. ભટ કાવતરામાં સામેલ હોવાની શંકા છે.