ગુજરાતના સુરત, બોટાદ, વાપીમાં NIAની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અહીં ગઝવા એ હિન્દ સંગઠનની આતંકી પ્રવૃત્તિમાં સંડોવણીને લઈને તપાસ કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં અલગ અલગ સ્થળોએ NIAના દરોડા
સુરત, બોટાદ અને વાપીમાં NIAનું સર્ચ
ગજવા અલ હિન્દ સંગઠનના ગુજરાત કનેક્શનની તપાસ
રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAની દેશમાં સક્રિય ધાર્મિક કટ્ટરપંથી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી યથાવત્ છે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) પર કાર્યવાહી કર્યા બાદ હવે વધુ એક કટ્ટરપંથી ઈસ્લામિક સંગઠન ગઝવા-એ-હિન્દ નિશાના પર છે. કેન્દ્રીય એજન્સીએ ગુરુવારે દેશના અનેક રાજ્યોમાં અડધા ડઝનથી વધુ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે.
ગુજરાતના ત્રણ જગ્યાએ દરોડા
મળતી માહિતી અનુસાર, NIAએ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ગઝવા-એ-હિન્દ સંગઠન સાથે જોડાયેલા લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. આ ત્રણ રાજ્યોના સાત સ્થળો પર NIAની કાર્યવાહી ચાલી રહી છે. એજન્સીએ મહારાષ્ટ્રમાં ત્રણ જગ્યાએ, ગુજરાતમાં ત્રણ જગ્યાએ અને મધ્યપ્રદેશમાં એક જગ્યાએ દરોડા પાડ્યા છે.
ગઝવા-એ-હિન્દ સંગઠનના ગુજરાત કનેક્શનની તપાસ
ગુજરાતમાં NIAની ટીમ દ્વારા અલગ અલગ ઠેકાણાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ગઝવા-એ-હિન્દ સંગઠનની આતંકી પ્રવૃત્તિમાં સંડોવણીને લઈને NIA દ્વારા સુરત, બોટાદ અને વાપીમાં તપાસ કરવામાં આવી રહી છે. ગઝવા-એ-હિન્દ સંગઠનના ગુજરાત કનેક્શનની તપાસ કરવામાં આવી રહી છે.
સુરત, વાપી અને બોટાદમાં સર્ચ
NIAની ટીમ બોટાદ, સુરત અને વાપીમાં ત્રાટકી છે. બોટાદના રાણપુર અને વાપીમાં તપાસ કરવામાં આવી રહી છે. રાણપુરમાં અબ્દુલ વૈદ, સુરતમાં મોહમ્મદ સોહેલ અને વાપીમાં ફરાઝખાનના નિવાસ સ્થાને નિવાસે NIAની ટીમ પહોંચી છે.