ISISના આતંકી મોહસીનના મનસુબા મનમાં રહી ગયા છે તે આતંકી ગતિવિધિઓમાં સંડોવાયેલો હતો પરંતુ તે હવે બરાબરનો પક્કડમાં આવ્યો છે. 6 ઓગસ્ટે એઆઈએ દ્વારા મોહસીનની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેના રિમાન્ડ પૂરા થતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં એનઆઈએની માગ સ્વીકારી લઈને કોર્ટે મોહસીનને 30 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો હતો.
NIA Court sends Mohsin Ahmad to Judicial custody for 30 days. Mohsin, an alleged ISIS active member was arrested by NIA on August 6. He was produced in court today at the end of his remand. pic.twitter.com/Xs6fwKlHD0
શું આરોપ છે આતંકી મોહસીન પર
એનઆઈએ આતંકી મોહસીનની સામે તપાસ ચલાવી રહી છે. તપાસનીસ એજન્સીનું કહેવું છે કે મોહસીન ટેટર ફંડિગ માટે ક્રિપ્ટો કરન્સી ભેગી કરીને સીરિયા મોકલતો હતો. તેની પર આરોપ છે કે તે યુવાનોને ISIS જોઈન કરવા માટે ઉશ્કેરતો હતો.
શું છે આરોપ મોહસીન પર
ભારત તેમજ વિદેશમાં સહાનુભૂતિ ધરાવતા લોકો પાસેથી આતંકવાદી સંગઠન માટે ભંડોળ એકઠું કરવામાં સંડોવણી અને ક્રિપ્ટોકરન્સીના રૂપમાં સીરિયા અને અન્ય સ્થળોએ મોકલવાના આરોપસર દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવ્યા બાદ અહમદને 8 ઓગસ્ટના રોજ 16 ઓગસ્ટ સુધી એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. એનઆઇએએ જણાવ્યું હતું કે, આઇએસઆઇએસની ઓનલાઇન અને ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ એનઆઈએ દ્વારા આ વર્ષે 25 જૂને સુઓ-મોટો નોંધવામાં આવ્યો હતો.
જુલાઈમાં એનઆઈએએ મોટાપાયે દરોડા પાડ્યા હતા
આ વર્ષે જુલાઈમાં એનઆઈએએ આઈએસઆઈએસ સાથે જોડાયેલી ગતિવિધિઓના સંબંધમાં છ રાજ્યોમાં સંદિગ્ધોના 13 પરિસરોમાં તલાશી લીધી હતી. મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત છ રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.