આતંકી કેસોની તપાસ કરીને દેશની મોટી તપાસનીશ એજન્સી NIAએ તેલંગાણા અને આંધ્રમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડીયાના 40 ઠેકાણા દરોડા પાડ્યાં છે.
પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડીયાની સામે મોટી કાર્યવાહી
એનઆઈએએ તેલંગાણા અને આંધ્રમાં 40 ઠેકાણે પાડ્યા દરોડા
પોપ્યુલર ફ્રન્ટ પર આતંકી ગતિવિધિઓ અને ધાર્મિક વેરઝેર ભડકાવવાનો આરોપ
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ રવિવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) વિરુદ્ધ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં 40 સ્થળો પર તલાશી લીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, આતંકવાદી કૃત્યો કરવા માટે કથિત રીતે તાલીમ શિબિરોનું આયોજન કરવા અને ધર્મના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા સંબંધિત કેસમાં પીએફઆઈ સામે દરોડા પાડવામાં આવ્યા હતા.
NIA conducts searches at multiple locations in Telangana & Andhra Pradesh in a case registered against PFI cadres in Nizamabad by Telangana Police on 4th July, which was later taken over by the NIA pic.twitter.com/wU8wSD2CeQ
તેલંગાણામાં 38 અને આંધ્રમાં 2 ઠેકાણે દરોડા
એનઆઇએએ તેલંગાણામાં 38 અને આંધ્રપ્રદેશમાં 2 સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવીને ચાર વ્યક્તિઓની પૂછપરછ માટે અટકાયત કરી હતી. અધિકારીઓએ દરોડામાં ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો, બે ખંજર અને અન્ય ગુનાહિત સામગ્રી સહિત રૂ. 8.31 લાખથી વધુની રોકડ જપ્ત કરી છે. શરૂઆતમાં આ કેસ 4 જુલાઈએ તેલંગાણાના નિઝામાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો અને ચાર આરોપીઓ - અબ્દુલ કાદર, શેખ સહાદુલ્લાહ, મોહમ્મદ ઇમરાન અને મોહમ્મદ અબ્દુલ મોબીનની રાજ્ય પોલીસ દ્વારા તપાસ દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં એનઆઈએએ તપાસને આગળ વધારવા માટે 26 ઓગસ્ટના રોજ ફરીથી કેસ નોંધ્યો હતો, એમ પ્રવક્તાએ જણાવ્યું હતું.
પોપ્યુલર ફ્રન્ટ પર આતંકી ગતિવિધિઓનો આરોપ
પોપ્યુલર ફ્રન્ટ સાથે જોડાયેલા આરોપીઓ આતંકી કૃત્યોને અંજામ આપવા અને ધર્મના આધારે અલગ અલગ સમૂહો વચ્ચે દુશ્મનીને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરી રહ્યા છે.