NIAએ બંગાળથી લઈને પંજાબ અને કશ્મીરથી લઈને કેરળ સુધી આતંકી ષડયંત્ર લઈને અલર્ટ જાહેર કર્યું છે. NIAએ મુજબ, આતંકી સંગઠન જમાત ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશી પ્રવાસીઓની આડમાં ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે.
NIAના DGનો ખુલાસો
ભારતમાં સક્રિય થયા 125 આતંકીઓ
NIAએ બંગાળતી લઈને પંજાબ અને કશ્મીરથી લઈને કેરળ સુધી આતંકી ષડયંત્ર લઈને અલર્ટ જાહેર કર્યું છે. NIAએ મુજબ, આતંકી સંગઠન જમાત ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશી પ્રવાસીઓની આડમાં ભારતમાં ઘૂસણખોરી કરી શકે છે.
NIAના ડી.જી. વાય.સી. મોદી(Yogesh Chander Modi)એ કહ્યું કે, JMBએ ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળમાં બાંગ્લાદેશી પ્રવાસીઓની આડમાં પોતાની ગતિવિધિઓ શરૂ કરી દીધી છે. ભારતમાં 125 શંકાસ્પદ આતંકીઓની યાદી પણ તમામ રાજ્યને સોંપવામાં આવી છે.
શ્રીલંકના ઇસ્ટર હુમલાનો માસ્ટર માઇન્ડ જહારન હાશમી
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા હુમલાનો માસ્ટરમાઈન્ડ જહારન હાશમી હતો. તમિલનાડુ અને કેરળ મામલે ધરપકડ કરાયેલા આરોપીઓએ જણાવ્યું છે કે તેઓ જહારન હાશમીના વીડિયો અને ઓડિયો ભાષણ સાંભળીને ઉત્તેજિત થયા છે.
National Investigation Agency(NIA) DG Yogesh Chander Modi: We noticed that Jamaat-ul-Mujahideen Bangladesh (JMB) increased their activities in Bihar, Maharashtra, Kerala and Karnataka. Names of 125 suspects have been shared with related agencies pic.twitter.com/Mw54RyHYWW
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની હાજરીમાં વિજ્ઞાન ભવનમાં આયોજીત દેશના ટોચના પોલીસ અધિકારીઓના એક સંમેલનમાં NIA ના આઇજી આલોક મિત્તલે પણ આતંકી ગતિવિધીઓને લઇને મોટા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું કે, ટેરર ફંડિગના મુખ્ય મામલે જમ્મુ-કાશ્મીરના સંગઠનોના પ્રમુખ અને ટોચના અલગાવવાદી નેતાઓ વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવામાં આવેલ છે.
આંતકીઓના ફંડિગ પાછળ પાકિસ્તાનનો હાથ
નોંધનીય છે કે, આરોપીઓમાંથી એકપણને જામીન પ્રાપ્ત થયાં નથી. રાષ્ટ્રીય તપાસ એજન્સીઓએ પોતાની તપાસમાં મેળવ્યું કે આ તમામ આરોપીઓના ફંડિગ પાછળ પાકિસ્તાનનો હાથ છે. પાકિસ્તાની ઉચ્ચ આયોગ થકી આરોપીઓને ફંડિગ કરવામાં આવે છે.