રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)ને મોટી સફળતા પ્રાપ્ત કરતા તમિલનાડુમાં એક એવા સંગઠનનો પર્દાફાશ કર્યો છે જે દેશમાં આતંકવાદી હુમલા શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા. એનઆઈએના જણાવ્યા અનુસાર, આ સંગઠન દેશમાં ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો મનસુબો ધરાવે છે. એનઆઈએએ શનિવારે ચેન્નાઈ અને નાગપટ્ટીનમ જિલ્લામાં ત્રણ શંકાસ્પદ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો, જેમાં આ ખુલાસો થવા પામ્યો હતો.
એનઆઈએ દ્વારા 9 જુલાઇના રોજ નોંધેલ કેસ અનુસાર, શંકાસ્પદ આતંકવાદીઓ ચેન્નાઈ અને નાગપટ્ટીનમ જિલ્લાના રહેવાસીઓ છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં અને બહારના ઘણા લોકો પણ જે ભારત સરકાર વિરૂદ્ધ જંગ છેડવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રાસવાદીઓએ અન્સારલ્લાહ નામના આતંકવાદી સંગઠનની રચના કરી છે.
NIAનું માનવું છે કે આરોપી સૈયદ મોહમ્મદ બુખારી, હસન અલી અને મોહમ્મદ યુસુફુદ્દીન અને તેમના સાથીદારોએ મોટા પાયે ભંડોળ ઊભું કર્યું હતું. આ લોકો ભારતમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાની તૈયારીમાં હતા.
આ ત્રાસવાદીઓનો મનસુબો ભારતમાં ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કાયદા હેઠળ આ શંકાસ્પદ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એનઆઈએએ ચેન્નઈ સ્થિત સૈયદ બુખારીના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા.