કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુ કાશ્મીરમાં નવા યુગની શરૂઆત કરી છે. દેશના માનવાધિકાર આયોગના પ્રમુખ અરૂણ મિશ્રાએ મંગળવારે આ વાત કહી છે.
અમિત શાહ, તમારા કારણે જમ્મુ કાશ્મીરમાં નવા યુગની શરૂઆત થઈઃ માનવાધિકાર આયોગ પ્રમુખ
અરૂણકુમાર મિશ્રાને આ જ વર્ષે જૂન મહિનામાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા પ્રમુખ બનાવાયા
સિલેક્ટિવ વિચાર રાખનારાઓ પર પીએમ મોદીએ કર્યો કટાક્ષ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ બન્નેના સંબોધન વાળા NHRC(National Human Rights Commission)ના કાર્યક્રમમાં જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, વિદેશી તાકાતો દ્વારા ભારત પર માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવવાનું ચલણ બની ગયું છે. રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના 28 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત કાર્યક્રમમાં જસ્ટિસ મિશ્રાએ કહ્યું, આનો શ્રેય તમને છે મિસ્ટર શાહ કે જમ્મુ કાશ્મીરમાં નવા યુગની શરૂઆત થઇ છે. તેમણે કહ્યું એ પણ કહ્યું, આંતરરાષ્ટ્રીય તાકાતો તરફથી ભારતમાં માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવવો હવે જાણે ચલણ બની રહ્યું છે.
સિલેક્ટિવ વિચાર રાખનારાઓ પર પીએમ મોદીએ કર્યો કટાક્ષ
તેના બાદ પીએમ મોદીએ પણ માનવાધિકારને લઇને સિલેક્ટિવ વિચાર રાખનારાઓ પર કટાક્ષ કર્યો. પીએમએ માનવાધિકારને રાજકીય ફાયદા અને નુકસાનની દ્રષ્ટિથી જોનારા પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, એવું કરીને લોકશાહીને નુકસાન પહોંચાડે છે. પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક લોકો કેટલીક ઘટનાઓમાં માનવાધિકાર ઉલ્લંઘન જુએ છે, પરંતુ એવી જ ઘટનાઓમાં આ મુદ્દાને નજરઅંદાજ કરે છે. માનવાધિકારોનું ઉલ્લંઘન ત્યારે થાય છે, જ્યારે તેને રાજકીય ચશ્માથી જોવામાં આવે છે. આવા પસંદગીભર્યા અને ભેદભાવપૂર્ણ વલણ લોકશાહીને નુકસાન પહોંચાડે છે.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ જમ્મુ કાશ્મીરથી કલમ 370 હટાવવી અને તેને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવાના કેન્દ્ર સરકારના નિર્ણય નિર્ણયના સંદર્ભમાં અમિત શાહને આનો શ્રેય આપ્યો. ગૃહમંત્રી તરીકે શાહે સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું.
અરૂણકુમાર મિશ્રાને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા પ્રમુખ બનાવાયા
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે રિટાયર જસ્ટિસ અરૂણકુમાર મિશ્રાને આ જ વર્ષે જૂન મહિનામાં રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા પ્રમુખ બનાવ્યા છે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતા વાળી સમિતિએ તેમના નામને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના જજ સમયે પીએમ મોદીના વખાણ કરવાને લઇને પણ જસ્ટિસ મિશ્રા ચર્ચામાં આવ્યા હતા.