કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરી બુધવારે એક વર્ચુઅલ કાર્યક્રમમાં નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા(NHAI)માં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજક્ટમાં વિલંબને લઈને ભડક્યા હતા.
તેમણે કહ્યું હતું કે, આવા અધિકારીઓને સસ્પેન્ડ અથવા નિવૃત કરવાનો સમય આવી ગયો છે.
NHAI ભવનના ઉદ્ધાટન દરમિયાન સંબોધન કરતી વખતે ગડકરી દેખાયા નારાજ
NHAIના ભવનનું નિર્માણ કરવામાં 9 વર્ષ લાગી જતા ગડકરી થયા નારાજ
સમય પર કામ ન કરનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આપી ચીમકી
નિતિન ગડકરીએ કહ્યું કે, નૉન પરફાર્મિંગ એસેટ્સને બહારનો રસ્તો દેખાડવાનો સમય છે. કેન્દ્રીય મંત્રી ગડકરી દ્વારકામાં NHAI ભવનના ઉદ્ઘાટન દરમિયાન સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ ખુબ જ નારાજ દેખાયા. ગડકરીની નારાજગી એ વાત પર હતી કે NHAI ભવનના નિર્માણ કરવામાં અંદાજે 9 વર્ષ લાગી ગયા.
નિતિન ગડકરીએ કહ્યું કે, NHAI અકુશલ અધિકારીઓની જગ્યા બની ગઇ છે, જે બાધા પૈદા કરી રહી છે અને દરેક કેસ કમિટીઓને રેફર કરી રહ્યા છે. આવા અધિકારીઓને સસ્પેન્ડ અથવા નિવૃત કરવાનો સમય આવી ગયો છે. NHAIના કામકાજમાં સુધારો લાવવામાં આવે.
નિતિન ગડકરીએ કહ્યું કે, સમયસર કામ નહીં થાય તો બહારનો રસ્તો દેખાડી દેવામાં આવશે. NHAI ગેરલાયક અધિકારીઓનો અડ્ડો બની ગયું છે, જે અડચણરૂપ છે. આવા અધિકારીઓને સસ્પેન્ડ અથવા નિવૃત કરવાનો સમય આવી ગયો છે. નિર્માણમાં થયેલા વિલંબમાં યોગદાન આપનારા અધિકારીનો ફોટો લગાવવો જોઈએ.