અમદાવાદ સાબરમતી નદી પર ફુટ ઓવરબ્રીજની કામગીરી હવે પૂર્ણતાને આરે છે. 2022માં આ બ્રીજ લોકો માટે ખુ્લ્લો મુકી દેવામાં આવશે. જ્યા અમદાવાદીઓ પીકનીક પણ મનાવી શકશે.
અમદાવાદીઓને મળશે મોટી ભેટ
ફૂટ ઓવરબ્રીજની કામગીરી પૂર્ણતાને આરે
74 કરોડના ખર્ચે બ્રીજ બનાવામાં આવ્યો
અમદાવાદને હવે સાબરમતી નદી પર ટૂંક સમયમાં ફૂટ ઓવરબ્રિજની ભેટ મળવાની છે. આ બ્રિજની કામગીરી મનપા દ્વારા યુદ્ધના ધોરણે પર્ણ કરી દેવામાં આવી છે. સાબરમતી નદીને અમદાવાદની ઓળખ ગણવામાં આવે છે. પહેલા નદીને નિહાળવા માટે લોકો 7 બ્રિજ પર ઉભા રહેતા હતા. પરંતુ હવે લોકોની આ સમસ્યા દૂર થઈ ગઈ છે.
શહેરીજનો બ્રીજ પર પીકનીક મનાવી શકશે
ફુટ બ્રિજ પૂરી રીતે તૈયાર થઈ ગયા પછી શહેરીજનો નદીની ઉપર પીકનીક મનાવી શકે તેવી ખાસ સુવીધાઓ સાથે આ બ્રિજને તૈયાર કરવામાં આવ્યો છે. એએમસી દ્વારા સાબરમતી રિવરફ્રન્ટને પૂર્વથી પશ્ચિમ તરફ જોડતો ફૂટ ઓવરબ્રિજ બનાવામાં આવ્યો છે.
74 કરોડના ખર્ચે બ્રીજ બનાવામાં આવ્યો
સાંભળીને તમને નવાઈ લાગશે મનપા દ્વારા બનાવામાં આવેલ આ બ્રીજ પર લોકો વોકિંગની સાથે સાથે સાયકલિંગ પણ કરી શકશે. આપને જણાવી દઈએ કે કુલ 74 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યો છે. હાલ આ બ્રીજની કામગીરી પૂર્ણતાને આરે છે અને 2022 સુધીમાં આ બ્રિજને ખુલ્લો મુકી દેવામાં આવશે.
બ્રીજની લંબાઈ 300 મીટર
આ બ્રીજને અમદાવાદના જમાલપુર વિસ્તારથી લઈને એલીસબ્રીજ વચ્ચે બનાવામાં આવ્યો છે. બ્રીજની લંબાઈ વીશે વાત કરીએ તો આ બ્રીજને લંબાઈ 300 મીટર જેટલી છે. આ બ્રીજ બન્યા પછી તેની એક ખાસીયત એ રહેશે કે બ્રીજ પર બંને બાજુથી લોકો પ્રવેશ મેળવી શકશે. એટલેકે કોઇને પણ પૂર્વથી પશ્ચિમ કે પશ્ચિમથી પૂર્વ તરફ ફરીને બ્રીજ પર નહી આવવું પડે.
બ્રીજ બનાવામાં 2700 ટન સ્ટીલ વાપરવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે આ બ્રિજને સંપૂ્ર્ણપણે સ્ટીલતી બનાવામાં આવ્યો છે. બ્રીજ બનાવામાં કુલ 2700 ટન જેટલું સ્ટીલ વાપરવામાં આવ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે આ બ્રીજ તૈયાર થશે ત્યારબાદ અમદાવાદીઓ આ ફૂટ ઓવરબ્રિજ પર બેસીને વહેલી સવારે તેમજ સાંજના સમયે સાબરમતી નદીનો આનંદ માણી શકશે