દેશમાં યુવા નેતા વડાપ્રધાન પદ પર આવી શકે કે ન આવી શકે , તે મામલે સર્વે કરવામાં આવ્યો જેમા 50 ટકા લોકોનું માનવું છે કે દેશને યુવા નેતાની જરૂર છે
યુવા નેતા વડાપ્રધાન બને તે મામલે થયો સર્વે
50 ટકા જનતાએ કહ્યું યુવા નેતાની દેશને જરૂર
અનુભવી નેતા સાથે યુવા નેતા હોવા જોઈએ
મોદી સરકારના બીજા કાર્યકાળમાં પહેલા કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું જેમા ઘણા યુવા નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમા અનુરાગ ઠાકુર તેમજ કિરેન રિજિજૂનું નામ પણ શામેલ છે. દેશના 50 ટકા લોકોનું માનવું છે કે રાષ્ટ્રીય કક્ષાએ યુવા નેતા હોવા જોઈએ. એટલુંજ નહી થોડાક વર્ષો રહીને તેઓ વડાપ્રધાન પણ બની શકે છે. તેવું એક સર્વેમાં સામે આવ્યું છે
કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણમાં અનુરાગ ઠાકુરને રમત તેમજ કિરેન રિજિજૂને કાયદા મંત્રાલય આપવામાં આવ્યું છે. અગાઉ આ બંન્ને રાજ્ય કક્ષાએ મંત્રી રહી ચૂક્યા છે. એક સર્વેમાં એવું સામે આવ્યું છે કે 35 ટકા લોકોનું એવું માનવું છે કે યુવા નેતાઓને રાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી થોડીક અઘરી છે. સાથેજ તેઓ વડાપ્રધાન પદે આવે તે પણ મુશ્કેલ છે.
દેશને યુવા નેતાની સાથે અનુભવી નેતાની જરૂર
જોકે 45.61 ટકા લોકોનું કહેવું છે કે દેશને યુવા નેતાઓની જરૂર છે. સાથેજ લોકોનું એમ પણ કહેવું છે કે અનુભવી નેતાની પણ દેશને જરૂર છે. સર્વેમાં એવો સવાલ કરવામાં આવ્યો હોતે કે શું દેશમાં યુવા નેતાઓની જરૂર છે ?, ત્યારે 51.05 ટકા લોકોએ હા પાડી હતી. જ્યારે 37.65 ટકા લોકોએ એવું કહ્યું હતું કે દેશને યુવા નેતાઓની સાથે અનુભવી નેતાઓની પણ જરૂર છે.
આવડતને આધારે મંત્રીઓની પસંદગી
સી વોટર ન્યૂઝ ટ્રેકર દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમા લોકોએ તેમની પ્રતિક્રિયા આપી હતી. વડાપ્રધાન મોદીએ 2021ના કેબિનેટ વિસ્તરણમાં જે ફેરબદલી કરી છે. તેમા દરેક મંત્રીઓને તેમની આવડતને આધારે પસંદ કરવામાં આવ્યા છે.
2024ને અનુલક્ષીને વિસ્તરણ કરાયું
ઉલ્લેખનીય છે મંત્રીમંડળના વિસ્તરણમાં સાત જૂનિયર મંત્રીઓને પણ પદ આપવામાં આવ્યું છે. ઉપરાંત અનુરાગ ઠાકુર, જી કિશન રેડ્ડી, કિરેન રિજિજૂ, મનસુખ માંડવિયાને પણ કેબિનેટ મંત્રીમાં સ્થાન આપવામાં આવ્યું જેને મોદી સરકારનો મોટો નિર્ણય મનાવામાં આવી રહ્યો છે. આ વિસ્તરણ મોદી સરકારે 2024ને અનુંલક્ષીને કર્યું છે તેવું લોકોનું કહેવું છે.