મોદીના પ્રત્યાર્પણ મામલામાં સુનાવણી આવતા વર્ષે 11થી 15 મે વચ્ચે થશે
નીરવ મોદીની સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ 19 માર્ચે ધરપકડ કરી હતી
વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટના ન્યાયાધીશ નીના તેમ્પિયાએ પુષ્ટિ કરી કે મોદીના પ્રત્યાર્પણ મામલામાં સુનાવણી આવતા વર્ષે 11થી 15 મે વચ્ચે થવાની છે અને તેને દર 28 દિવસમાં અંતિમ સમીક્ષા સુનાવણી માટે વીડિયો લિંક દ્વારા રજૂ થવુ પડશે, જ્યાં સુધી આવતા ફેબ્રુઆરીથી કેસ શરૂ ન થઇ જાય.
પંજાબ નેશનલ બેન્ક (PNB) ની સાથે લગભગ 2 અરબ ડોલરની છેતરપિંડી કરવા અને મની લોન્ડરિંગના આરોપમાં નીરવ મોદીને ભારતને પ્રત્યાર્પણ કરવાના મામલામાં આ સુનાવણી ચાલી રહી છે. નીરવ મોદીની સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓએ 19 માર્ચે ધરપકડ કરી હતી અને ત્યારથી તે દક્ષિણ-પશ્ચિમ લંડનના વેન્ડસ્વર્થ જેલમાં બંધ છે.
સોલિસીટર આનંદ દૂબે અને વકીલ ક્લેયર મોન્ટેગોમરીના નેતૃત્વમાં તેમની કાનૂની ટીમે તેમની ધરપકડ કર્યા બાદથી ચાર જામીન અરજીઓ દાખલ કરી, જેને દરેક વાર ફગાવી દેવાઇ હતી. દલીલ કરવામાં આવી કે મોદી ફરાર થઇ શકે છે.