સોશિયલ મીડિયા પર આ જાહેરાતને લઈને લોકો ખૂબ જ મજા લઈ રહ્યા છે. ઘણા ફની મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. IPS ઓફિસર રૂપેણ શર્માએ તેના પર ટ્વીટ કર્યું અને કહ્યું, 'આ ફક્ત ભારતમાં જ થાય.'
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છાપાની જાહેરાત
શખ્સે પોતાના ડેથ સર્ટિફિકેટ માટે આપી જાહેરાત
વાંચીને લોકો આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા
ન્યૂઝ પેપરમાં છપાયેલી એક જાહેરાત ઈન્ટરનેટ પર હાલ ખૂબ શેર થઈ રહી છે. જી હા તમને પણ નવાઈ લાગશે કે આખરે છાપામાં છપાયેલી જાહેરાતમાં લોકોનો આટલો બધો રસ કઈ રીતે હોઈ શકે. કારણ કે ન્યૂઝ પેપરમાં દરરોજ હજારો જાહેરાતો છપાતી રહે છે. પરંતુ આ જાહેરાતની વાત કંઈક અલગ છે. હકીકતે આ જાહેરાત દ્વારા એક જીવિત વ્યક્તિએ જણાવ્યું છે કે તેનું ડેથ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે.
જાહેરાત વાંચી ચોંકી ઉઠ્યા લોકો
છેને આ ચોંકાવનારા સમાચાર! લોકો મુંઝવણમાં છે કે આખરે જીવિત વ્યક્તિનું ડેથ સર્ટિફિકેટ કેવી રીતે બની શકે. અને જો તે ભૂલથી બની ગયું હોય તો તેના ખોવાઈ જવાની માહિતી છાપાની જાહેરાતમાં કેવી રીતે છપાઈ શકે. જ્યારે જાહેરાત છાપનાર વ્યક્તિ પોતે જ દાવો કરી રહી છે કે તેણે પોતાનું ડેથ સર્ટિફિકેટ ખોઈ નાખ્યુ છે.
07/09/2022એ બજારમાં ખોવાઈ ગયું ડેથ સર્ટિફિકેટ
આસામના હોજાઈ જિલ્લાના લામડિંગના સિમુતલાના રહેવાસી રણજીત કુમાર ચક્રવર્તીએ આ જાહેરાત આપી છે. જેમાં લખ્યું છે કે 'મારું ડેથ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે. 07/09/2022 ના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ લામડિંગ બજારમાં મારી પાસેથી તે ખોવાઈ ગયો.' આ સાથે તેણે ડેથ સર્ટિફિકેટનો રજિસ્ટ્રેશન નંબર અને પોતાનું નામ પણ લખાવ્યું છે. તેમજ જાહેરાતમાં તેમનું સંપૂર્ણ સરનામું પણ આપવામાં આવ્યું છે.
'શું સ્વર્ગમાંથી વ્યક્તિ માંગી રહ્યો છે ડેથ સર્ટિફિકેટ'
સોશિયલ મીડિયા પર આ જાહેરાતને લઈને લોકો ખૂબ જ મજા લઈ રહ્યા છે. ઘણા ફની મીમ્સ શેર કરવામાં આવી રહ્યા છે. IPS ઓફિસર રૂપેણ શર્માએ આની મજાક ઉડાવતી એક ટ્વીટમાં કહ્યું, 'આ ફક્ત ભારતમાં જ થાય.'
ત્યાં જ અન્ય લોકો આની મજા લઈ રહ્યા છે અને પૂછે છે કે શું આ વ્યક્તિએ સ્વર્ગમાંથી તેનું ડેથ સર્ટિફિકેટ ગુમ થવાની જાણ કરી છે. કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે કે જો તેમને ખોવાયેલ ડેથ સર્ટિફિકેટ મળે તો પણ તેઓ તેને આપવા ક્યાં જશે.