મુંબઇ: ભારતીય ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે બુધવાર સાંજે ઇંગલેન્ડ જવા રવાના થઇ રહી છે. કેપ્ટન વિરાટ કોહલીએ તેના પહેલા પ્રેસ કોન્ફ્રેન્સ બોલાવી પ્રવાસની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અમે મેચ રમવા માટે સૌથી શ્રેષ્ઠ ટીમને મેદાનમાં ઉતારીશું.
સાથે જ કોહલીએ કહ્યું કે અમે માત્ર જીતવા માટે મેચ રમવા ઇચ્છીએ છીએ. આ પહેલા મોકો છે કોહલી માટે કે જ્યારે તે પ્રથમવાર આઇસીસીના કોઇ ટૂર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની કપ્તાની કરવા જઇ રહી છે.