નવનિયુક્ત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવ્યા છે. તેઓ હાલ ગુજરાત કોંગ્રેસમાં પ્રવર્તી રહેલી આંતરિક સ્થિતિને થાળે પાડવા માટે આવ્યા હોવાનું મનાઈ રહ્યું છ. જોકે તેમનું કહેવું છે કે ગુજરાત કોંગ્રેમાં કોઈ નારાજગી નથી.
અશોક ગેહલોત કોંગ્રેના અગ્રણી નેતા શંકરસિંહ વાઘેલા અને ભરતસિંહ સોલંકીને મળીને આંતરિક ખેંચતાણના કારણો વિશે માહિતી મેળવશે. સાથે જ સંગઠનના હોદ્દેદારોને મળીને ગુજરાત કોંગ્રેમાં ઊભા થયેલા અસંતોષને શાંત પાડવા કેટલાંક મહત્વના સૂચન કરે તેવી શક્યતા છે.