ઉત્તરાખંડમાં શ્રદ્ધાળુઓની બસ ભાગીરથી નદીમાં ખાબકતા 29 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય સાત યાત્રિકો ઇજાગ્રસ્ત થયા છે. ઉત્તરકાશી ગંગોત્રી ધામથી પરત ફરતા સમયે નલુપાનીની પાસે શ્રદ્ધાળુઓ ગંગોત્રી દર્શન કરીને ઋષિકેશ આવી રહ્યા હતા તે દરમિયાન બસ 300 મીટર ખાડીમાં ખાબકી. બસના અન્ય ત્રણ યાત્રિકો ગુમ થયાની વિગતો સામે આવી છે. તો આ અકસ્માતમાં માર્યા ગયેલા મૃતકો અને ઇજાગ્રસ્તની ઓળખ થઇ શકી નથી. અકસ્માતમાં માર્યા ગયેલા લોકો ધાર અને બેટમા જિલ્લાના રહેવાસી હોવાનું જણાઇ રહ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે ડ્રાઇવરે બસ પરનો કાબુ ગુમાવતા આ ઘટના બની. ઉત્તરાખંડમાં જે સ્થળે આ ઘટના બની છે તે નદીના વિસ્તારને ભાગીરથીથી ઓળખવામાં આવે છે. તો આ દુખદ ઘટના અંગે ઉત્તરાખંડના સીએમ ત્રિવેદ્રસિંહ રાવતે દુખ વ્યકત કર્યુ છે. ઉત્તરાખંડની સરકાર તરફથી ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરીવારને એક લાખ રૂપિયાની આર્થિક સહાય એલાન કર્યુ છે.