એક સમયે આમ આદમી પાર્ટી અને કેજરીવાલ સાથે રહેતા કપિલ મિશ્રાએ હવે બીજા રસ્તે ચાલવાનું શરૂ કરી દીધું છે. ભ્રષ્ટાચારની લડાઇ લડનારા કેજરીવાલ સાથે જોડાયેલા કપિલ મિશ્રા કેજરીવાલના જ ભ્રષ્ટાચારની પોલ ખોલી રહ્યા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે કપિલનું આ અભિયાન અને અનશન કેજરીવાલની વિરૂદ્ધ નહી પણ તેમના પક્ષમાં કામ કરી રહ્યું છે. હાલ એ વાતને માન શકાય નહીં પણ કેટલાક એવા તર્ક છે. જેના પરથી લાગે છે કે કપિલ કેજરીવાલની એક રીતે હેલ્પ કરી રહ્યા છે.
પંજાબ ગોવા MCDની ચૂંટણીમાં થઇ હાર
હારની મંથન વચ્ચે કપિલે ખેંચ્યું ધ્યાન
મંત્રી પદ પરથી હટતા કપિલે કર્યો બળવો
કેજરીવાલને ગોવા અને પંજાબ અને સાથે જ એમસીડી ચૂંટણીમાં હારનો સામનો કરવો પડયો છે.. પાર્ટી પોતાની હાર પર ગંભીરતાથી મંથન કરવાની શરૂઆત કરી રહી હતી કે કપિલ મિશ્રાએ બળવો કરીને મીડિયાનું ધ્યાન ખેંચી લીધું અને તેમાં આપ પાર્ટીની હાર ભુલાઇ ગઇ. તો બીજી તરફ કપિલ મિશ્રા પર પણ સવાલ ઉઠી રહ્યા છે કે કપિલને ભ્રષ્ટાચાર થયો છે.. તે એવા સમયે યાદ આવ્યું જ્યારે તેમને મંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા.
આપ પાર્ટી તૂટવાની તૈયારીમાં હતા
તૂટી રહેલી પાર્ટી ફરી એક થઇ
ચૂંટણીમાં હારનો સામનો કરી રહેલી આપ પાર્ટી તૂટવાની તૈયારીમાં જ હતી પરંતુ કપિલ નામના તોફાનમાં અલગ થલગ થઇ ગયેલી પાર્ટી ફરી એક થઇ ગઇ. પાર્ટીના અનેક નેતા કેજરીવાલ પર તાનાશાહનો આરોપ લગાવી ચુક્યા છે. તો કુમાર વિશ્વાસ પણ પાર્ટીથી અલગ થતાં રહી ગયા અને તેમા કપિલ ફે~ટર કામ કરી ગયું.
ગરમીમાં દિલ્લીમાં પાણીની સમસ્યા
કપિલના હંગામા વચ્ચે ભુલાઇ પાણીની સમસ્યા
દિલ્લી હાલ અસહ્ય ગરમીનો સામનો કરી રહી છે અને તપતી ગરમીમાં દિલ્લીમાં જળ સંકટની વાત ના થાય તે આજ સુધી થયું નથી. આ વર્ષે પણ દિલ્લીમાં પાણીની સમસ્યા છે. અને પાણી પણ રાજકારણ પણ રમાય છે. અને આરોપ પ્રત્યારોપ થાય છે પરંતુ આ વર્ષે કપિલ મિશ્રાના હંગામા વચ્ચે લોકો દિલ્લીમાં પાણીની સમસ્યાને ભુલી જ ગયા છે.
દિલ્લીની મેટ્રો
કહેવાય છે કે દિલ્લી મેટ્રો દેશની રાજધાનીની લાઇફલાઇન છે અને હાલમાં જ મેટ્રોના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. યાત્રીઓના કહેવા પ્રમાણે તેમનું ભાડુ 60થી 70 ટકા વધી ગયું છે અને આ મામલો પણ કપિલ મિશ્રાના વિવાદમાં શાંત થઇ ગયો. જો કપિલ મિશ્રાનો મુદ્દો ઉછળ્યો ના હોત તો ભાડા વધારાનો વિરોધ જરૂર થયો હોત.
સૌથી ખાસ વાત તો એ છે કે કપિલ મિશ્રાના આરોપો બાદ કેજરીવાલના વિરોધીઓ પણ તેમને સપોર્ટ કરતા જોવા મળ્યા. કેજરીવાલ સાથે કામ કરી ચુકેલા યોગેદ્ર યાદવે પણ કહ્યું કે કેજરીવાલ ક્યારેય ભ્રષ્ટાચાર કરી શકે નહીં. તો ઘણા સમયથી નારાજ ચાલી રહેલા કુમાર વિશ્વાસે પણ કેજરીવાલના પક્ષમાં સોશિયલ મીડિયામાં તેમનો સાથ આપ્યો.
આ તમામ વાતો પર નજર નાખીએ તો એક જ વાત સામે આવે છે કે ભવિષ્યમાં કપિલ ભલે કેજરીવાલ માટે ખતરો ઉભો કરી શકે. પણ હાલ કપિલ મિશ્રા કેજરીવાલ માટે ઢાલનું કામ કરી રહ્યા છે.